SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ (સાધર્મિક)ની પરંભક્તિ કોણે કેવી રીતે કરી ? सो भगवं एवं गुणविज्जाजुत्तो विहरंतो पुव्वदेसाओ उत्तरावहं गओ, तत्थ दुभिक्खं जायं, पंथावि वोच्छिण्णा, ताहे संघो उवागओ नित्थारेहित्ति, ताहे पडविज्जाए संघो चडिओ, तत्थ य सेज्जायरो चारीए गओ एइ, ते य उप्पतिते पासइ, ताहे सो असियएण सिंहे छिदित्ता भणतिअहंपि भगवं ! तुम्ह साहम्मिओ, ताहे सोऽवि लइओ इमं सुत्तं सरंतेण-'साहम्मियवच्छलंमि उज्जुया उज्जुया य सज्झाए । चरणकरणंमि य तहा, तित्थस्स पभावणाए य ॥१॥' ततो पच्छा उप्पइओ भगवं पत्तो पुरियं नयरिं, तत्थ सुभिक्खं, तत्थ य सावया वहुया, तत्थ राया तच्चण्णिओ सडओ, तत्थ अम्हच्चयाणं सड्ढयाणं तच्चण्णिओवासगाण य विरुद्धण मल्लारुहणाणि वटृति, सव्वत्थ ते उवासगा पराइज्जंति, ताहे तेहि राया पुष्पाणि वाराविओ पज्जोसवणाए, सड्डा अद्दण्णा जाया नत्थि पुष्पाणित्ति, ताहे सबालवुड्डा वइरसामि उवट्ठिया, (આવશ્યક પૂર્વાર્ધા, હારિભદ્રીયવૃત્તિ, પ્રથમ વિભાગ, પા. ૨૯૫ આગમોદય સમિતિ) ભગવાન વજસ્વામી જેઓએ દીક્ષા શબ્દ માત્રના શ્રવણથી જન્મ વખતે જતિસ્મરણશાન મેળવ્યું હતું. જેઓએ દીક્ષા લેવા માટે માતાને હેરાન કરવા લાગલગાટ રુદન રાખ્યું હતું. જેઓને સ્ત્રીઓનાજ કહેવાથી સાક્ષીઓ રાખવા પૂર્વક છ માસની વયે માતાએ તેમના પિતા ધનગિરિને આપી દીધા હતા. જેઓ શય્યાતરના કુળોમાં લઘુ અને વડી સંશાના કલેશ દીધા વગર સાધુની માફક ફાસુક ઉપચારથી ઉછર્યા હતા. જેઓની માગણી તેમની માતાએ શય્યાતરો પાસે કરવી શરૂ કરી હતી. જેઓને શય્યાતરોએ ગુરુની થાપણ હોવાથી અમે ન દઈ શકીએ એવો ઉત્તર વાળી રાખ્યા હતા. પુનઃ ગુરુનું તે નગરમાં આવાગમન થતાં માતાએ પાછા લેવાનો ઝગડો શરૂ કર્યો. કેવળ સંઘ (શ્રમણવગ) તે વજસ્વામીરૂપી બાળકની દીશાની અભિલાષા પૂરવા તરફ રહ્યો. સમગ્રનગર સાક્ષી પૂર્વક માતાએ પિતાને દીક્ષિતપણામાં રહેવા આપેલા પુત્રને સંસારમાં ખેંચવા તૈયાર થયેલ. જેઓને માટે રાજાએ પણ અર્પણકિયા, સાક્ષીઓની હૈયાતી, શય્યાતરોની ગુરુથાપણ તરીકેની જાહેર કરેલી હકીકત વિગેરે ઉપર કંઇ પણ ધ્યાન ન આપતાં ન્યાયના નામે દખલગીરી કરવાનું બીડું ઝડપ્યું. જેઓ માટે ખરી રીતે હકદાર પિતાને પહેલું બોલાવાનું પણ સમગ્રનગરે રાજા પાસે નિષેધાવ્યું. બાળપણાની સ્વને ઉત્પન્ન કરનાર અને પોષનાર એવા રમકડાથી તે બાળકને લોભાવી બોલાવવાનું મંજૂર કર્યું. વળી જેઓએ માતાએ ત્રણ ત્રણવાર બોલાવ્યા છતાં માતાના હિતને અને પોતાના હિતને ધ્યાનમાં રાખીને આખી રાજસભામાં અપમાન તથા કલ્પાંતનો હિસાબ ગણ્યો નહિ. જેઓને તે વિવાદની અનંતરજ ત્રણ વર્ષ સરખી લઘુવયમાં દીક્ષિત થવાનું થયું. જેઓને દીક્ષિત થયા છતાં પણ સાધ્વીના ઉપાશ્રયે પારણામાં રહેવું પડયું. જેઓએ પારણામાંજ સૂતાં સૂતાંજ ભણતી સાધ્વીઓનાજ શબ્દોથી અગીયાર (અનુસંધાન ટાઇટલ પા. ૨)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy