________________
તા. ૧૫-૩-૩૪
શ્રી હિચક
માં સુધા-સાગર |
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોતારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાયબિંદુઓનો સંગ્રહ ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૧૦૨૯ આચારાંગાદિ બારે અંગો અને તેના અધ્યયનો વિગેરે અર્થથી શાશ્વતા છે. જે જે તીર્થમાં
ગણધર મહારાજ દ્વાદશાંગી રચના કરે છે તે તીર્થમાં અધ્યયનોમાં આવતાં દષ્ટાંતો ત્યાં સુધી પહેલા તીર્થનાજ ચાલુ રહે કે જ્યાં સુધી તે તીર્થમાં તેવાં તેવાં દૃષ્ટાંતો બને નહિં. આજ કારણથી વિર ભગવાનના તીર્થની દ્વાદશાંગીમાં કેટલાંક વીર મહારાજના તીર્થના દષ્ટાંતો
અને કેટલાંક બીજા પાર્શ્વનાથ આદિક તીર્થના દષ્ટાંતો દેખાય છે. ૧૦૩૦ પંચનમસ્કાર મંત્ર શબ્દ અને અર્થ બંનેથી શાશ્વતો માનવા યોગ્ય છે, કારણકે જો તેમ ન
માનીએ તો પૂર્વના ભવમાં થયેલો નમસ્કારનો સંસ્કાર પાછળના સાગરોપમ પછી થયેલા ભવમાં તીર્થાન્તરમાં નમસ્કારને પામ્યા છતાં પણ જાતિસ્મરણદ્વારા ઉભૂત થાય નહિ, તેમજ દેવ, દાનવ, મનુષ્યો કે તિર્યચોમાં એક સરખી આરાધના ને તેની મદદ કે સંસ્કારોનો સુધારો બની શકે નહિ, માટે પંચનમસ્કારને શબ્દ અને અર્થ બંનેથી નિત્ય માનવો એ શાસ્ત્ર વિરોધ
ન હોય તો યુક્તિસંગત માલમ પડે છે. ૧૦૩૧ શ્રાવક અને શ્રાવિકાનો વર્ગ સાધુપણાની ઉંચી શિક્ષામાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળો બાળવર્ગ છે. ૧૦૩૨ સામાયિક વિગેરે શિક્ષાવ્રતોનું નામ શિક્ષાવ્રત એટલા માટેજ રાખવામાં આવ્યું છે કે તેમાં
વારંવાર પ્રવૃત્તિ કરવી અને દિન પ્રતિદિન તેની શુદ્ધતા કરવી એમ પણ કહી શકાય કે સંયમની શુદ્ધકળા પ્રાપ્તિ માટે આ ચાર વ્રતોનું શિક્ષણ તે અભ્યાસ રૂપ છે અને તેથી પણ તે
શિક્ષાવ્રતો ગણી શકાય. ૧૦૩૩ સર્વવિરતિની અભિલાષાવાળા જીવોનેજ સમ્યગુદર્શન કે દેશવિરતિ ગુણઠાણા હોય છે. ૧૦૩૪ સર્વવિરતિની અભિલાષા વગરના જીવો જો કે શુદ્ધ દેવ, ગુરુ ધર્મને માનનારા હોય છે અને
સામાયિક પૌષધાદિ આચરનારા હોય છે તો પણ તેઓ ગુણઠાણાની પરિણતિમાં ગયેલા નથી પણ વ્યવહારથી ધર્મમાં શુદ્ધ પ્રવર્તેલા છે એમ કહી શકાય.