________________
શ્રી દ્વાદશાંગી-શાસનના અનુસંધાન માટે મળેલ મુનિસમુદાય (સંઘ)
જૈનદર્શનમાં ઠેરઠેર શ્રી શ્રમણસંઘનીજ સત્તા સર્વોપરિ સ્વીકારાયેલી છે.
——
આસન્નોપકારી ચરમ તીર્થંકર ભગવાન વીર પરમાત્માની અમોઘ વાણી પામવા છતાં મહારાજા શ્રેણીકથી પણ જે ન બન્યુંતેવું દયાનું અભૂતપૂર્વ કાર્ય પરમાર્હત્ કુમારપાળ ભૂપાળદ્વારા બનાવવા સમર્થ એવા અને સાડાત્રણ ક્રોડ ગ્રંથના રચયિતા શાસનપ્રભાવક કલિકાલ સર્વજ્ઞ સૂરિપુરંદર ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરિશિષ્ટ પર્વના નવમા સર્ચમાં ૫૫ માં શ્લોકથી શરૂ કરતાં ચૌદ પૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા સ્પષ્ટ ફરમાવે છે કે ભગવાન શ્રમણસંઘની આણા નહીં માનનારો ગમે તેવો સમર્થ આત્મા પણ સંઘ બહાર હોઈ શકે છે. વાંચો
इतश्च तस्मिन्दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थं साधु सङ्घस्तीरं नीरनिधेर्यौ ॥ ५५ ॥ अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम् । अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि ॥ ५६॥ सोऽथ पाटलिपुत्रे दुष्कालान्ते ऽखिलोमिलत् । यदङ्गाध्ययनोदेशाघासीघस्यतदाददे ॥५७॥ ततश्चैकादशाङ्गानि श्रीसंङ्घोऽमेलयत्तदा । दष्टिवादनिमित्तं च तस्थौ किंचिद्विचिन्तयन् ॥५८॥ नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम् । ज्ञात्वा सङ्घः समाह्यतुं ततः प्रैषीन्मुनिद्वयम् ॥५९॥ गत्वा नत्वा मुनी तौ तमित्यूचाते कृताञ्जली । समादिशति वः सङ्घस्तत्रागमनहेतवे ॥६०॥ सोऽप्युवाच महाप्राणं ध्यानमारब्धमस्ति यत् । साध्यंद्वादशभिर्वर्षैर्नागमिष्याम्यहं ततः ॥६१॥ महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिश्चिदागते । सर्वपूर्वाणि गुण्यन्ते सूत्रार्थाभ्यां मूहूर्ततः ॥६२॥ तद्वचस्तौ मुनी गत्वा सङ्घस्याशंसतामथ । सङ्घोऽप्यपरमाहूयादिदेशेति मुनिद्वयम् ॥६३॥ गत्वा वाच्यः स आचार्यो यः श्रीसङ्घस्य शासनम् । न करोति भवेत्तस्य दण्डः कइति शंस नः ॥६४॥ सङ्घबाह्यः स कर्तव्य इति वक्ति यदासतु । तर्हि तद्दण्डयोग्योऽसीत्याचार्यो वाच्य उच्चकैः ॥६५॥ ताभ्यां गत्वा तथैवोक्त आचार्योऽप्येवमूचिवान् मैवं करोतु भगवान्सङ्घः किं करोत्वदः ||६६ ॥ मयिप्रसादं कुर्वाणः श्रोसङ्घः प्रहिणोत्विह शिष्यान्मेघाविनः सप्तदास्यामिवाचनाः ॥६७॥
તે કાળ રાત્રિ સમાન ભયંકર દુષ્કાળને વિષે (ક્ષુધાથી પીડાતો) સાધુસંઘ નિર્વાહાર્થે સમુદ્ર તીરે ગયો ॥૫॥ (નબળાઇના કારણે) નહી ગણી શકાતું તથા નહીં ભણી શકાતું એવું શ્રુતજ્ઞાન બુદ્ધિમાનોએ કંઠસ્થ કરેલું પણ વિસરાવા લાગ્યું ।।૫।। દુષ્કાળને અંતે તે સકળ સંઘ એકઠો થયો અને જેને જેને જેટલાં જેટલાં અધ્યયનો અને ઉદ્દેશાઓ યાદ રહ્યા તે એકબીજાએ આપસઆપસમાં લીધા દીધા ! પણા તે વખતે અગીયાર અંગ તો શ્રીસંઘે મેળવ્યા, પણ દ્રષ્ટિવાદ નિમિત્ત નામે બારમું અંગ અસ્તવ્યસ્ત થયેલું હોઇ (વિસ્મૃત પ્રાયઃ થયેલું હોઇ) તે શ્રીસંઘ વિચાર કરતો ઉભો ૫૮॥
(અનુસંધાન ટાઇટલ પાનું ૨ )