________________
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ *
શાસથી નિરપેક્ષ રહેનારાઓ વ્યાખ્યાનપીઠ-સ્યાદ્વાદસિદ્ધાંત પ્રતિપાદનની પીઠપર બેસીને પણ વાસ્તવિક જવાબદારીઓ ભૂલી જાય છે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ વ્યાખ્યાનવાણી દ્વારા મનઘડત સિદ્ધાંતોને સાચા ઠરાવવા માટે કારમો કોલાહલ કરે એમાં નવાઈ નથી. !
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ પૂર્વપુરૂષોના કથનાનુસાર શાસ્ત્રસિદ્ધપદાર્થોનો અનુવાદ કરવા જેટલી ઉદારતા દર્શાવી શકે નહિ.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ આગમ-આસ્નાયથી અલગ રહીને ભાષ્યકારાદિના ભવ્યસિદ્ધાંતોનો અનાદર કરીને વ્યાખ્યા કરવામાં કળાકૌશલ્યતા કેળવે છે, તે વસ્તુતઃ પોતાના અધ:પતનનું પ્રદર્શન કરાવે છે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ તારકદેવતીર્થકરોની, સૂત્રસંદર્ભક ગણધરાદિ ભગવંતોની, નિર્યુકિતકાર નિષ્ણાતોની, ભાષ્યકારભગવંતોની અપભાજનાકરી અધોગતિના ભાગીદાર થાય, તેવાઓને બચાવી લેવા માટે શાસ્ત્રના પારંગતોએ કમર કસવી જ જોઈએ.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ પોતાના પક્ષની જમાવટ માટે અનેકવિધ લડાયક લડવૈયાની જેમ વ્યુહરચના કરે છે, પણ શાસસિદ્ધાંતના પારગામીઓ તે વ્યુહરચનાને શાસપંકિત રૂપ વજ દ્વારાએ વિખેરી નાંખે છે. એવી અનેકશાસ્ત્ર નિરપેક્ષ ઘૂહરચનાને વિખેરી નાંખનારાઓ ભૂતકાળમાં હતા, અને આજે પણ શું નથી?
શારાથી નિરપેક્ષ રહેનારાઓને હતાશ કરનાર સેંકડો શાસન પ્રભાવકોની નોંધ શાસકારોએ સ્યાદ્વાદસિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે લીધી છે, કે જે નોંધ નિરખીને કંઈક ભાગ્યશાળીઓ શાસા પ્રદેશમાંજ વિરહવાનું શુરાતન મેળવી શકે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ શાસનું, શાસના વાકયોનું શાસ્ત્રની પંકિતઓનું, શાસના પદનું, શાસાના પદાર્થનું, શાસના પૂર્વાપર સંબંધનું બધે શાસના પારમાર્થિક રહસ્યનું પણ નિરીક્ષણ કરી શકે નહિં.
શારાથી નિરપેક્ષ રહેનારાઓ ખોટાને સાચું ઠરાવવા મથે તે જેટલું ભયંકર છે, તેથી કંઈક ગુણું ભયંકરપણું સાચાને ખોટું ઠરાવવામાં છે, અને તેથીજ ખુદ ભગવાનનો શિષ્ય અગીયારસંગનો પાઠી ને પાંચસો શિષ્યનો માલીક એવો જમાલી પણ આસનોપકારી ચરમતીર્થંકર પ્રભુમહાવીરદેવને અને તેમના સિદ્ધાંતને ખોટા ઠરાવવા માટે આકાશ પાતાળ એક કરતો પ્રભુમાર્ગ - પ્રવચન આદિનો પ્રત્યેનીક ગણાયો.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓના મુખમાંથી નીકળતા ઉલ્લંઠાઈના ઉકળાટ, સ્વેચ્છાચારીના સૂર, ઉસૂત્રભાષીપણાની ઉંચીબદબોઈ ભરપુર વાહ્યાતવાતો સાંભળીને મૂર્ખાઓ મહાલે, અને જગમશહૂર શાસનઝવેરીઓ ઘડીભર હસે તો શું અસ્થાને છે?
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ માર્ગ દીપક શાસ્ત્રોના વાસ્તવિક પ્રકાશન કરવામાં કેમ બેદરકારી રાખે છે? દીપક સમ્યકત્વધારી અભવ્યો પણ પ્રભુમાર્ગને વાસ્તવિક પ્રકાશન કરવામાં તો બેદરકારી રાખતા નથી.
શાસ્ત્રથી નિરપક્ષ રહેનારાઓ પુરાવાને સ્થાને “હું કહું છું, અમે કહીએ છીએ, અમારા ગુરુ કહે છે,” ઇત્યાદિ શબ્દો આગળ ધરીને દીપક સમ્યકત્વનો પણ દીવો કેમ બુઝવી નાંખતા હશે? ચંદ્રસા