________________
૧૮૪
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ચક્રદત્ત આવા મિત્રની દાક્ષીયતા પણ રાખી પોતે સંકટ વહોરી લે છે. સ્થાને દરેક ગુણ શોભે છે. અધર્મને રસ્તે રાખેલી દક્ષીણ્યતાએ દક્ષીણ્યતા નથી પણ દોષ છે. રાજાએ પણ પોતાના માણસોને પત્ર લખીને મોકલ્યા તેમણે જઈ ચક્રદત્તને કહ્યું કે પત્રમાં લખેલી કોઈ વસ્તુ તારા ઘરમાં છે? તેણે નિઃશંક થઈ કહ્યું કે ના ત્યારે તેમણે જડતી લીધી ત્યારે ધન નીકળ્યું ને તેના ઉપર ચંદનસાર્થ વાહનું નામ લખેલું હોવાથી તેઓએ પૂછયું કે-આ શું? ચક્રદત્તે કહ્યું કે એ તો મારું બીજું નામ છે ને એ ધન માર્જ છે. તેમણે ફરી પૂછયું કે-એ ધન કેટલું છે? ત્યારે તેણે કહ્યું-હું જાણતો નથી એમ કહેવાથી ને પત્રમાં લખેલ પ્રમાણવાળું ધન હોવાથી તે સૈનિકોએ ચક્રદત્તને પકડી રાજા આગળ લઈ ગયા. ઉત્તમ કુળની છાપ કેવી હોય ?
રાજા-જો કે પ્રચણ્ડ હોય છે તો પણ શાન્તિથી ચક્રદત્તને રાજાએ પૂછયું કે-ભો ચક્રદત્ત તારા જેવા ઉત્તમ પુરૂષમાં આવું અકૃત્ય શોભે નહીં. માટે જે વસ્તુ સ્થિતિ હોય તે સાચેસાચી કહી દે આવા પ્રકારનું રાજાએ સ્પષ્ટ કહેવા છતાં પણ ચક્રદત્તે મિત્રના સ્નેહને લીધે કંઇપણ અક્ષર ઉચ્ચાર્યો નહીં ને ત્યાં રોવા લાગ્યો.
રાજા પણ વિચારે છે કે ઉત્તમ કુળવાળા ચક્રદત્તનું આવું કૃત્ય સંભવીત નથી અને છે પણ તેમજ ચક્રદત્ત પોતે નિર્દોષ છે પણ મિત્રની દક્ષીણ્યતાના અંગેજ પોતે હોરી લીધું છે. શાસ્ત્રકારોએ ઉત્તમકુલની મહત્તા ગાઇ છે તે આજ કારણે છે. ઉત્તમકુલના સંસ્કાર મનુષ્યને સહેજે ધર્મની સામગ્રીમાં જોડી દે છે અને આવું કુલસંસ્કાર હોય તેજ આત્મા આગળ વધી શકે છે. શ્રાવકકુલની પ્રાપ્તિ સમ્યદ્રષ્ટિ દેવો આજ કારણે ઈચ્છે છે કે જેથી વિરતિથી આત્મા વંચિત રહે નહિ. એટલે શ્રાવક કુલ વિરતિથી વાસીત હોયજ. સંસારની અસારતાની ખાત્રી ગળથુથીજ થઈ જાય અને ઉત્તમ એવો દુર્લભ મનુષ્યજીવન પામ્યાની સાર્થકતા કરવાના વિચારો ગુંજારવ કરી રહ્યા હોય. આજે તેનાથી વિપરીત દશા જ્યાં જ્યાં દેખાતી હોય તેઓએ જરૂર વિચારવું જોઇએ અને જૈનકુલના સામાન્ય આચાર વિચારોથી વાસીત પોતાનું કુટુંબ બનાવી દેવું જોઇએ. જેથી કોઈપણ વખતે શ્રાવક તરીકેની પોતાની જાહેરાતને સાર્થકજ ઈતરની દ્રષ્ટીએ પણ દેખાય આજે આ સંસ્કાર તરફ જે જે કુટુંબોમાં દુર્લક્ષ્ય અપાય છે તેવાઓ અને તેમના કુટુંબીઓ ઓઘે શ્રાવકકુલ પામ્યા છતાં જીનેશ્વર ભગવાનના શાસનની, આગમની, તીર્થોની, ને સંયમમાર્ગની આશાતના કરી જડવાદના પ્રવાહમાં તણાઈ પોતાના અમુલ્ય જીવનને બરબાદ કરી રહ્યા છે તેવાઓએ ઉત્તમ કુલના સંસ્કારોની છાપ કેવી હોવી જોઈએ અને પોતાની કઇ સ્થિતિ છે તેનો ઉહાપોહ આત્મા સાથે કરી વિચારે તો ઘણું સમજવાનું છે અને આવા દ્રષ્ટાંતો વિચારી પોતાની સ્ત્રીને ધર્મમાર્ગમાં અંતરાય કરનાર રૂદ્રદેવ એક ભવમાં નહિં પણ કેટલાએ ભવોમાં દુઃખી થાય છે. તો આજે પ્રભુશાસનમાં કહેલી વિરતિનો ધોરી માર્ગ રોકનાર કે તેમાં સહાનુભુતિ આપનાર આત્મા કર્મનો કેટલો બંધ કરાવનાર છે તે સહેજે વિચારી શકાય તેવું છે.
પછી રાજાને શંકા પડવાથી તેને નગરબહાર લઈ જવા પોતાના માણસોને કહ્યું: રાજપુરૂષોએ પણ ચક્રદત્તને નગરબહાર દેવીના મંદિર પાસે મૂકીને નગરમાં પાછા આવ્યા. સત્યતાનો પ્રભાવ? ને અપકારી પર ઉપકાર
રાજપુરૂષોના ચાલ્યા ગયા પછી ચક્રદત્તે વિચાર કર્યો કે આવા અપમાને હવે જીવીને શું કરવું છે માટે આ વનદેવીના વડ વૃક્ષથી ફાંસો ખાઈ મરી જાવું? ચક્રદત્ત જેટલામાં વડ પાસે ફાંસો ખાવા જતો હતો તેવામાં વનદેવતાએ અવધિજ્ઞાનના ઉપયોગથી તે વાત જાણીને રાજાની આગળ જઈ બધી સાચે