________________
(ભગવાનનો ભવ્ય ઉપકાર.) ભવિકા ભજો ભગવંતને જે તારતા ભવિસિંધુથી-એ આંકણી.
નહિં આત્માન રસે ચઢયો મિથ્યાત્વ મોહે રાચિયો, મનોવાચા કાય મળિયો ઈદ્રિયો રસ રાચિયો, ગંધ-રૂપ-રસે સ્પર્શી શબ્દ-ગુણમાં ગાજિયો; સ્વપર ભાન ન સ્વપ્નમાં હતું કેવલી (હિ રાજિઓ. ના ભ. II
દેહ-દારા-દારકો ને પિતા કાકા ભાતમાં, માત સાસુ સાસરા ને મૂઢ માસી જાતમાં, મેળવ્યા એ મહેલવાના નથી સાથ ભવાંતરે ભગવંતની જે રત્નરાશિ તે સદા રહે અંતરે. રી ભ |
શૈશવે નહિં ભાન છે વસવંદનું જિમ લેશથી, બાળકોને શાન નહિ હત-આબરૂના કલેશથી, પુદ્રલાનંદે રમતા લહે નહિં નિજ-ભાવને; જિનરાજ-વચન વિવેક પામી લાહો નિજપરભાવને. IIકા ભ //
ભાવથી વ્રત-તત્ત્વને સમજે ભવી નિજભાવમાં, હિંસાદિ ભાવ વિચિત્રતા છે કઠિન કર્મ સ્વભાવમાં, ક્રોધાદિ કમલ-ભાવના નિજકર્મની છે કાલિમા; સાધુધર્મજ લઈ હણો રહિ આત્મગુણની આલિમાં. Iકા ભ.
સકલગુણની શ્રેણીને જો ઈહો આત્મ-નિવાસમાં, સકલગુણથી પૂર્ણ પ્રભુને ધરો તો નિજ-ભાસમાં, ગુણવત શરણે પામિયે ગુણશ્રેણીને શુભ ચિત્તથી; ભવિકા સદા તદ્રુપ રહિને ભજે યોગપવિત્તથી. પ . ભ. I
જિનરાજ આણ અભ્યાસ કરતાં રહો કર્મની કાલિમા, પ્રગટ વધતો આતમા લહે સઘ શુભની શાલિમા, યોગ ઈચ્છા શાસનો કરતો વહે સામર્થ્યને; પ્રતિપત્તિ રૂપે પામિયો આનન્દ પામે સત્યને llcl ભ. /