________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૧-૧૨-૩૩
. સુવા-સાગર |
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક
પૂ. શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૯૧૭ જે ક્ષણે સમ્યકત્વ તેજ ક્ષણે જ્ઞાન, અને જે ક્ષણે મિથ્યાત્વ તેજ ક્ષણે અજ્ઞાન એ નિયમને
સ્વીકારનારાઓ સમ્યકત્વનું સારી રીતે રક્ષણ કરી શકે છે. ૯૧૮ શાસનની વફાદીરી જૈન શાસ્ત્રોને અવલંબેલી છે એ ભૂલતા નહિ ! ૯૧૯ પૂર્વે તીર્થકરો હતા, ગણધર ભગવંતો હતા, પૂર્વધરો હતા, શાસનના ધુરંધરો હતા, શાસનના
સંચાલકો હતા, શાસનના સુભટો હતા. તે બધાની ખાત્રી કરવી હોય તો શાસ્ત્રોને સ્વીકારવાં
પડશે. ૯૨૦ ચોર, લુંટારૂ અને ધાડપાડુઓની ચાલાકી, અક્કલ અને હુશીયારી શ્રાપ સમાન હતી, છતાં તેજ
વ્યક્તિોની ચાલાકી, અક્કલ અને હુંશીયારી જગતને આશીર્વાદરૂપ થઈ, તે કારણને તમારા
હૃદયકમળમાં દઢીભૂત કરો. ૯૨૧ સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલાને પંચાવન વર્ષે પોતાની પ્રવૃત્તિ છોડતાં શરમ ન લાગે, તે આજે દશ
વિશવર્ષ,ની પ્રવૃત્તિના પવનમાં ઘસડાયેલાઓને ખોટી જાણવા છતાં ગોંદાઈ રહેવું ગમે તે પણ
કર્મની બહુલતાને આભારી છે. ૯૨૨ લાખરૂપિયા ખર્ચીને લીધેલો હીરો એ કાચ છે, એમ માલમ પડે ત્યારે સાચો ઝવેરી બજારમાં
તે કાચને હીરો કહેવરાવવા માટે ન મથે. ૯૨૩ ખોટો રૂપિયો, ખોટી નોટ માલમ પડે એટલે ચલણ તરીકેનો વ્યહાર હરકોઈ ન સ્વીકારે તેવી
તેની દશા કરો, નહિં તો આજની દુનિયામાં સરકારના ગુન્હેગાર થશો, તેવી જ રીતે સમ્યકત્વથી સરકેલાઓને શાસન સેવકો સ્વીકારે નહિ તેવી પ્રવૃત્તિને અમલમાં મુકો, નહિ તો શાસનના
ગુન્હેગાર થશો. ૯૨૪ પૂર્વભવમાં અણસમજથી પણ દર્શન, જ્ઞાન ચારિત્રની આરાધના કરનારા અજાણ આત્માઓ
તમારે ત્યાં જન્મ્યા છે તેનો વિશ્વાસઘાત ન કરો. ૯૨૫ પૂર્વભવના પુરાઅભ્યાસી અને પૂર્વ ભાગ્યશાળીઓ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ રત્નત્રયીના આચારને
હેજે સ્વીકારે છે. ૯૨૬ ચક્રવર્તીના ચોપડામાં ‘હાર' શબ્દ ન હોય છતાં બહાર’ શબ્દ શ્રવણ કરવા ચક્રવર્તીભરત મહારાજા હરદમ તૈયાર હતા એ બિના યાદ રાખી છે ?
(અનુસંધાન પા-૧૬૭)