SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૩ ૧૫ શ્રી સિદ્ધચક પ્રશ્ન ૩૩- પહેલી દીક્ષામાં સામાન્ય સાવઘયોગનું પ્રત્યાખ્યાન અપાય છે, અને વડી દીક્ષા વખતે દરેક મહાવ્રતનું ઉચ્ચારણ કરી પ્રત્યાખ્યાન અપાય છે એમ હોવાનું વિશેષ કારણ શું? સમાધાન- છકાય વિગેરેની શ્રધ્ધા થવાથી વિભાગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરવાની લાયકાત થાય છે. બાવીશ જિનને વારે પહેલેથી બુદ્ધિશાળી હોવાથી સમજતા હતા તેથી તે અવસરે વડી દીક્ષાની જરૂરજ નહોતી. પ્રશ્ન ૩૪- સોળ વર્ષ પછી સંમતિની જરૂર નથી એવું ક્યાં શાસ્ત્રોમાં છે. સમાધાન- શ્રી પંચકલ્પભાષ્ય. "भयणा तेणगसद्दे होती इणमो समासेणं ॥ जो सो अपडिपुण्णो बिर?वरिसूण अहव अणिविट्ठो । तं दिक्खिन्तऽविदिण्णं तेणो परतो अतेणो तु ॥ તેના સ્તન (નિષ્ફટિકા) શબ્દમાં સંક્ષેપથી આ ભજના હોય છે, જે અપ્રતિપૂર્ણ એટલે બે અષ્ટક (સોળ વર્ષ) અથવા અવિવાહિત (કન્યા) હોય તેને દીક્ષા આપે તો ચોર કહેવાય, પણ સોળથી આગળ ચોર નહિં. એજ. પ્રમાણે નિશીથભાષ્યમાં પણ સોળવર્ષ પછી શિષ્યાચોર નહિ એમ જણાવે છે. વધુમાં શ્રીબૃહત્કલ્પ ટીકાઃ__नीएहि उ अविदिन्नं अपत्तवयं पुमं न दिक्खिन्ति । अपरिग्गहो उ कप्पति विजढो जो सेसदोसेहिं । _ निजकैः- मातापितृप्रभृतिभिः स्वजनैरवितीर्णम्-ॐ प्राप्तवयसम् - अव्यक्तं पुरुषं न दीक्षयंतिनप्रव्राजयंति, यदि पुनरपरिगृहीतो - व्यक्तः स शेषदोषैः- बालजड्डव्याधितादिभिर्विप्रमुक्तः प्रवाजयितुं कल्पते ॥ પોતાના માતાપિતા વિગેરે સ્વજનોએ નહિ દીધેલ; અને નથી થઈ વ્યક્ત ઊંમર જેની એવા પુરૂષને દીક્ષા આપે નહિ, એટલે સોળવર્ષ પછીજ વ્યક્તિ તે બાલ, જહુ વ્યાધિવાળો આદિ દોષોથી રહિત હોય તો તેને દીક્ષા વગર રજાએ પણ આપી શકાય છે. જાહેર ખબર ૧. પ્રથમ વર્ષના ૧, ૫, ૨૧ અંકો જે કોઈ સમિતિને મોકલી આપશે તેને દોઢી કીંમત આપવામાં આવશે. ૨. સુરતના જે ગ્રાહકોએ હજુ પૈસા ભર્યા નથી, તેઓએ તુરત દેવચંદ લાલભાઈ પુસ્તકાલયમાં ભરી જવા નહીતો મુંબઇથી વી. પી. કરવામાં આવશે. સિ. સા. પ્ર. સમિતિ. સુધારો ટાઇટલ પેઇજ ચોથું ચાલુ વર્ષ અંક ૯ છો. સમાલોચના નં. ૫-“જનમત” ને બદલે “જૈનમત”. સમાલોચના નં. ૧૦-“તપ ન કરવારૂપ છે” ને બદલે “તપ નકરવા રૂપ છે ?” ચાલુ વર્ષના છઠ્ઠા અંકમાં “પ્રથમ વર્ષના ૧૯મા અંકથી અનુસંધાન” તેને બદલે “ગતાંકથી આગળ” સુધારી વાંચવું. તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy