________________
સાધુવર્યોનું વિહારમાં કર્તવ્ય.
સાધુવર્યો ! સંચરો સર્વજ્ઞમત વિસ્તારવા (આંકણી.) માનતા નહિ જીવને જે તેહને મધુરોકિતથી, અહંપ્રત્યય દુઃખને વળી સૌ ની પટુવ્યક્તિથી, સમજાવજો પુન ઈદ્રિયોના વિષયના એકત્વથી; કરણને સાધન ગણી સમજાવજો જીવ તત્ત્વથી. ૧ સુખ દુખ કારણ કર્મ વિના નવિ બાહ્યપુદ્ગલ તત્ત્વથી, સંયોગ શુભ અશુભમાં પણ દુઃખને સુખ સત્ત્વથી, મિથ્યાત્વમુખ પામી દશાને ગુહે આતમ પાપને; સમ્યકત્વ બોધ ચરિત્ર યોગે નિર્જરે સવિ તાપને. ૨ સાશંસધર્મ બંધ છે વળી પુણ્યના ભવિજીવને, અનુકંપતાં સવિ સત્ત્વને છે સાતબંધ સદીવને, નિજ આત્મરૂપ નિહાલતાં નિજમાં સદા નિજરૂપથી; પ્રગટે જ દર્શન શાન ચરણો આત્મજ્ઞાન સુરૂપથી. ૩. એમ તત્ત્વ સમજણ આપતા શુભ ધર્મ પંથે લાવતા, શ્રમણ શ્રમણી સંચરો પ્રતિધામ સંયમ સાધતા, પરમેશ્વર નિશાનથી એ તત્ત્વસંતતિ ભાલતાઃ સાતિ શય વચને સદા ભાખે ભદધિ તારતા. ૪. રવિ કરે જિમ તેજથી અંધાર નાશન સર્વદા, અજ્ઞાનતમને નાશતા જિનરાજ પરમેશ્વર સદા, નવિ જંતુને દઈ દુઃખદો પહાડ પાણી પર્વતો, કરતો લહે વિભુતા પરંતુ શુદ્ધ આનન્દ લાવતો. ૫