________________
IIIIIIIIIIIIII
In
એક ગ્રુત પંચમી એ
unnnnnnni
ભગવાન શ્રી મહાવીરદેવ સિદ્ધી સ્થાને સીધાવ્યા તતક્ષાત દીર્ધ આયુષ્યમાન શાસનની સમસ્ત - ધુરાને વહન કરનાર ભગવાનશ્રી સુધર્માસ્વામીજી થયા. અદ્યાપિ પર્યન્તનો સર્વ સાધુસમુદાય પ્રભુ સુધર્માસ્વામીજી મહારાજનો છે, એ ઘટના કોઈની પણ જાણ બહાર નથીજ.
શાસનની ધુરા જે સમયમાં તેઓશ્રીને હસ્તગતુ થઈ તે સમયમાં પ્રાથમિક તહેવાર તરીકે જ્ઞાનપંચમી, શ્રુતપંચમી, સૌભાગ્ય પંચમી જ્ઞાનની સેવના માટે નિર્માણ થઈ હતી, શ્રુત જેવી એક સમર્થ ચીજની પીછાણ થવી તો જરૂરી છે, એ વાંચકોની ધ્યાન બહાર નહિજ હોય !
પ્રભુ મહાવીરદેવની મહાન વિભૂતિઓ અદ્વિતિય પ્રતિભાસંપન ગણધર ભગવંતોની ! ગહનશક્તિઓ, પૂર્વધરોના પરાક્રમોની પરંપરા વિશિષ્ટ જ્ઞાનીઓની અપૂર્વ કાર્યવાહી બલ્ક;
ભૂતકાળમાં થયેલ શાસન સંબંધી સમગ્ર કાર્યવાહીઓની ભવ્ય રૂપરેખાનું દર્શન કરાવનાર જો કોઈ ; E પણ સાધન હોય તો તે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાની અને શ્રુતજ્ઞાનના સમગ્ર સાધનો છે, તેમાં લેશભર શંકાને; ; સ્થાન નથી.
જે દિશામાં જૈન સાહિત્યનું પ્રકાશન વધવું જોઈએ તે દિશામાં જો કે વૃદ્ધિ થઈ નથી છતાં જૈન: : સાહિત્યનું પ્રકાશન કાર્ય કુદકે અને ભૂસકે આગળ વધ્યું છે અને વધતું જ જાય છે, છતાં તેટલા : * માત્રથી જ સંતોષ માનવો એ ગંભીર ભૂલ છે જ. : પ્રકાશન પામેલ સાહિત્યનો પૂરો ભોગવટો કરનાર વ્યક્તિઓ આજે આંગળાના ટેરવા પર પણ ; - પુરી આવી શકે તેમ નથી. ભાંગ્યાતૂટયો ભોગવટો કરી શકે તેવાઓ પણ સંતોષકારક સંખ્યા પુરી : : પાડી શકે તેમ નથી અને નવયુગવાદિતાને નામે ધર્મ પ્રત્યે બેદરકાર રહેલાઓ તો ઉપેક્ષા, બેદરકારી ; અને આળસુપણાની કાર્યવાહીના કારમા પૂરમાં તણાતા જાય છે, એ ગંભીર પરિસ્થિતિનું પર્યાલોચન : : કરવાને માટે આજે પણ બેદરકાર છે, જેના ઉપર શાસનનો આધાર છે, જેના વડે વર્તમાન શાસન ; : જીવે છે. જેના વડે ભવિષ્યમાં શાસનની આબાદી વધવાની છે તે શ્રુતજ્ઞાનના સમગ્ર સાધનોનો :
ભોગવટો કરી શકે તેવા જ્ઞાનીઓ અને તેને અનુસરતું જ્ઞાન સંપાદન કરી શકે તેવા સાધનોની આજે; પુરતી ખામી છે. એ ખામીઓ દુર કરવી તે પ્રત્યેક શાસનરસિકનું કર્તવ્ય છે.
આજે ચાર ચાર વર્ષથી એકજ બોલાય છે કે દીક્ષાઓ વધી! દીક્ષાઓ વધે છે !! દી ઉગે દીક્ષાજ, દિક્ષા !!! એ ન કહેવું જોઈએ, અગર દીક્ષાઓ વધી એ ખોટું છે એમ કહેવું નથી, પણ દીક્ષાઓ
શા મુદ્દાથી આપી છે તે લક્ષ્યબિંદુને આજે લગભગ પોતાની ફરજ સ્વીકારનારો ધાર્મિક સમાજ પણ : વિસરી ગયો છે.
શાસનશૂરા સુભટો બનાવવા, શાસનના સમર્થ સંચાલકો બનાવવાના શુભાશયથી આજે તમે ? : દીક્ષાની પ્રવૃત્તિને પગભર કરી છે અને હજુપણ તે પ્રવૃત્તિની આડે આવતા વિષમ વિનોને વિદારવા ? કટીબદ્ધ થયા છો, અને થશો. જ્યારે એ પ્રવૃત્તિમાં તમે તમારો આત્મા રેડશો એ પ્રવૃત્તિને તમે : શુભાશયથી જોશો ત્યારેજ તમોને એ પ્રવૃત્તિની મીઠી સુવાસ સમજાશે. શ્રુતપંચમીની પવિત્રતા તમોને એ પ્રશ્ન પૂછી રહી છે કે એ સુવાસ ઝીલવાની તમારામાં ક્યાં છે તમન્ના? ક્યાં છે તાકાત? ; હું અને ક્યાં છે તાલાવેલી?
IIIIIIIIIIIIII
Innnnnnnnni