________________
આટલું તો જરૂર વાંચો ! સખી ! ગગને અંધારું ઘોર, વિજળી રેલી રહી ! જોને ! ગરજે છે ભયના શોર, વિજળી રેલી રહી ! આ કવિતાની કડીઓ વાંચી તમે તેનું રહસ્ય પામ્યા છો ? ' .
જો આ પ્રશ્નનો ઉત્તર
“ના !” હોય, તો સમજો કે ઘનઘોર આકાશમાં જેમ વિજળીના ચમકારા પ્રકાશ પ્રેરે છે, તેમ ધાર્મિક જેનાકાશમાં ફેલાયેલા અંધકારમાં અને જડવાદીઓના શોરબકોરમાં એક અણદીઠી વિજળીનો.
અદભૂત ચમકારો વ્યાપી ગયો છે !
અને પ્રિય વાંચક! એ ચમકારો તે કયો? એ તારી કલ્પનામાં આવે છે? જો, ન આવતું હોય તો સમજી લ્યો કે એ ચમકારો તે આગમોદ્ધારક આચાર્યદેવની સુધાવર્ષિણી વાણી છે અને એ વાણીને સમાજમાં રેલાવવાનું કાર્ય તમારા.
“માનીતા સિદ્ધચઢે” પાર પાડયું છે! પ્રિય વાંચકો! વિચાર કરો, કે એ સેવાઓ બદલામાં તમે “સિદ્ધચક્ર”ને તેના આ અંકથી શરૂ થતા નવા વર્ષના આરંભે શી ભેટ આપવા નિરધાર્યું છે ! જો તમે એનો નિર્ધાર ન કર્યો હોય તો તમે ગભરાશો નહિ! તમને સસ્તું વાંચન પુરૂં પડે એ ઉદેશથી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએજ આશરે રૂા. રા નો ગ્રંથ
તમને ભેટ આપવાનો ઠરાવ કર્યો છે, અને એ ભેટનું પુસ્તક તે આચાર્યદેવ આગમોદ્ધારક મહારાજ સાગરાનંદ સૂરીશ્વરજીનું જીવનચરિત્ર છે ! આમ અમે અમારી ફરજ બજાવી છે હવે તમે તમારી ફરજ બજાવશો કે? સિદ્ધચક્રનો આ આસો-પૂર્ણિમાનો અંક એ તેના બીજા વર્ષનો પહેલો અંક છે એ ટાકણે તમારી ફરજ શું?
તમારી ફરજ આ ૨હીઃ(૧) ચઢેલું લવાજમ તાકીદે મોકલો ! (૨) નવા વર્ષનું લવાજમ પણ તરત રવાના કરો ! (૩) સિદ્ધચક્ર તમે વાંચો ! બીજાને વંચાવો ! એનીજ વાતો કરો ! અને એનો પ્રચાર કરો !
- તમે ગ્રાહક રહી, બીજાને ગ્રાહક કરો ! (૪) તમારે આ જ્ઞાન પ્રચારનાં મહાકાર્યમાં જે કાંઈ ભેટ આપવી હોય તે આપી દો! જે મહાનુભાવોએ
આવી ભેટો આપી છે તે આ સમિતિએ સહર્ષ સ્વીકારી છે અને તમે ગ્રાહક ન હો, તો ગ્રાહક
થવા માટે આગ્રહ છે. લખો:આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઈએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.