SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૭-૩૩ પ્રશ્ન ૨૯૬- દીક્ષા લેનારને રોકવામાં અગર દીક્ષા લીધેલી હોય તેને દીક્ષા છોડાવવામાં બળાત્કાર વાપરનાર મહામોહનીય કર્મ બાંધે કે જે કર્મ ગણધરાદિક મહાપુરુષોની હત્યા કરવા જેવું અધમ પરિણામવાળું થાય એમ સંભળાય છે તો તત્સંબંધી શાસ્ત્રકારો શું કહે છે? સમાધાન- શ્રી સમવાયાંગ સૂત્ર પાનું પ૩ પુંઠી બીજી લીટી ૨૫ થી શરૂ बहुजनस्य पञ्चषादीनां लोकानां नेतारं नायकं द्वीप इव द्वीपः संसारसागरगतानामाश्वासस्थानं अथवा दीप इव दीपोऽझानान्धकारावृतबुद्धिदृष्टिप्रसराणां शरीरिणां हेयोपादेयवस्तुस्तोमप्रकाशकत्वात् तं, अत एव त्राणं-आपद्रक्षणं प्राणिनमेताद्दशं याद्दशा गणधरादयो भवन्ति, नवरं प्रावचनिकादिपुरुषं हत्वा महामोहं प्रकारोतीति सप्तदशं १७ । उपस्थितं प्रव्रज्यायां-प्रविव्रजिषुमित्यर्थः प्रतिविरतं सावधयोगेभ्यो निवृत्त प्रव्रजितमेवेत्यर्थः संयतं साधु सुतपस्विनं तपांसि कृतवन्तं, शोभनं वा तपःश्रितं-आश्रितं, कचित् जे भिक्खुं जगजीवणं तिपाठः, तत्र जगन्ति-जंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं, विविधैः प्रकारै रुपक्रम्याक्रम्य व्यपक्रम्य बलादित्यर्थः धर्मात्-श्रुतचारित्रलक्षणादमंशयति यः स महामोहं પ્રોતતિ પ્રણાલિ ૨૮ , , બહુજન એટલે ઘણા પાંચ છ આદિ લોકોના (સાધુના) નેતા નાયક સંસારસમુદ્રમાં પડેલાને આશ્વાસ સ્થાન રૂપ, દ્વીપની જેમ દીપ જેવા, અથવા દીપકની જેમ એટલે જેમ દીપક, અજ્ઞાનરૂપ અંધકારથી અવરાઈ ગયેલ છે બુદ્ધિરૂપી દૃષ્ટિના પ્રસાર જેના એવા, શરીરધારીઓને હેય ઉપાદેય વસ્તુના પ્રકાશ કરનાર હોવાથી, તંત્ર તેમને, આ કારણથી જ ત્રણ એટલે આપત્કાલમાં પ્રાણીઓનું આવું રક્ષણ કરનાર એવા જેમ ગણધરો આદિ છે. અર્થાત્ પ્રવચનના માલિકને હણીને મહામોહ બાંધે છે. ૧છા એવી જ રીતે પ્રવ્રજ્યા પામતો અને પ્રવ્રજ્યા પામવાની ઇચ્છાવાળો પ્રતિવિરત એટલે સાવઘયોગોથી વિરામ પામેલો જે સાધુ સતુ પસ્વિન તપ કરવાવાળો અથવા સારા તપનો આશ્રય કરવાવાળો, જે ભિક્ષુક જગતને અહિંસકપણાથી જીવાડે છે અર્થાત્ જગતને જીવનરૂપ, તેને વિવિધ પ્રકારે બળાત્કારથી એટલે મારે કુટે અથવા ઉપકરણાદિનો નાશ કરીને કે કોઈ પણ પ્રકારે ધર્મા-શ્રુતચારિત્રલક્ષણ ધર્મથી ભ્રષ્ટ કરે છે તે અઢારમું મહામોહસ્થાન બાંધે છે. ૧૮ ઉપર પ્રમાણે ચારિત્ર લેનારને કે ચારિત્ર લીધું હોય તેને બળાત્કારથી ચારિત્રથી ચુકવે તેને મહામોહનીય કર્મ બંધાય અને તેથી વર્તમાનના સમ્યકત્વાદિ અને ભવિષ્યના સમ્યકત્વાદિના લાભનો નાશ થાય એમ સ્પષ્ટ સમજાય છે. શ્રેણિકે અભયકુમારને અને ભરત મહારાજે સુંદરીને રીક્ષામાં રોક્યાં છે પણ ત્યાં બળાત્કાર કર્યો હોય એમ જણાયું નથી. સામાન્ય સ્વજન નેહાદિ ત્યાં કારણ હોય એમ જણાય છે. પ્રશ્ન ૨૯૭- ઉપધાનમાં પ્રવેશ અને તેની સમાપ્તિ અવસરે માળમાં બોલાતાં ઘીની ઊપજ જ્ઞાનખાતામાં નહીં લઈ જતાં દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે?
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy