SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 128 SAMBODHI મધુસૂદન બક્ષી (૧) પ્રતિભાસિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્ય (૨) અન્તઃકરણવૃત્તિ અને અવિદ્યાવૃત્તિ (૩) મૂળ અજ્ઞાન, અવસ્થા-અજ્ઞાન અને તુલાજ્ઞાન. અજ્ઞાનનો આશ્રય અને અજ્ઞાનનો વિષય (૪) સ્વરૂપ - અધ્યાસ અને સંસર્ગ-અધ્યાસ (૫) જાગૃતિ, સ્વમ અને સુપુતિ (૬) નિર્ગુણ અને સગુણ બ્રહ્મ (૭) જીવ અને ઈશ્વર (૮) ભાવરૂપ અજ્ઞાન અને જ્ઞાનાભાવ (૯) ઉપાદાન - ઉપાદેય અને અધિષ્ઠાન (૧૦) કર્મ અને જ્ઞાન (૧૧) વિષયથી અવચ્છિન્ન અને વિષયથી અનવચ્છિન્ન ચૈતન્ય (૧૨) પ્રમાતૃગત અને વિષયગત અજ્ઞાન (૧૩) અવિદ્યાની આવરણશક્તિ અને તેની વિક્ષેપશક્તિ. અભાવથી અને ભાવથી વિલક્ષણ અવિદ્યા (૧૪) સાક્ષી અને પ્રમાતા – સાલિભાસ્ય વસ્તુ અને પ્રમાણસિદ્ધ વસ્તુ (૧૫) જે વિષયો ભ્રાન્તિમાં કે સ્વમમાં દેખાય છે તેના અનુભવો કે સુખદુઃખાદિના અનુભવો પ્રતિભાસકાલ માત્ર સ્થાયી છે તેની અજ્ઞાત સત્તા નથી. (ontologically subjective experiences). તેથી વિરુદ્ધ, જ્ઞાતાનિરપેક્ષ સ્વતન્ત પદાર્થોના અનુભવો છે જે – ontologically objectivity - સર્વજનસાધારણત્વ દર્શાવે છે. આ ભેદ ખૂબ જ મહત્ત્વનો છે. (૧૬) સુષુપ્તિકાળ અને પ્રલયકાળ. આવા અનેક ભેદો સ્થાપ્યા વગર શાંકરવેદાન્તપક્ષ સિદ્ધ થાય નહીં. બાધક જ્ઞાનની વિભાવના કે અવિદ્યાનિવૃત્તિની વિભાવના કાળની સત્તા (reality of time) માન્યા વગર સમજી ન શકાય. ખાસ તો અધિષ્ઠાન અને અધ્યારોપનો ભેદ માન્યા વગર શાંકરવેદાન્તમાં બીજા ભેદો સમજવાનું મુશ્કેલ છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy