SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 155 Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર કાશ્યપના મતને મળતો આવે છે : પ્રયાસમવાયીત્ય - ડાયેતિ | નોંધવું ઘટે કે પુરુષકાર (પૃ.૧૧૦) માં ચુરાદિ ગણના આ ધાતુનું રૂપ ધાર્યાતિ’ એમ જ આપ્યું છે. ६१. रुट लजि अजि दसि भृशि रुशि रुचि शोक नट पुटि जुचि, रधि, अहि रहि महि - इत्येते पञ्चदश स्वामिकाश्यपानुसारेण लिख्यते । રોટથતિ, નગ્નયતિ..(પૃ. પદ્દર) સાયણ નોંધે છે કે ચુરાદિગણના આ ધાતુસૂત્રમાં ઉપર્યુક્ત પંદર ધાતુઓનો પાઠ તેમણે ક્ષીરસ્વામી અને કાશ્યપને અનુસરીને આપ્યો છે. “ક્ષી.ત.” (પૃ.૩૧૬) માં ક્ષીરસ્વામીએ ૩૪ ધાતુઓ આપ્યા છે, તેમાંના ૧૫ ધાતુઓ સાયણે અહીં આપ્યા છે. આ ધાતુસૂત્રમાં, આ પહેલાંના ધાતુસૂત્ર પટ પુટ સુટ ... ધાતુસૂત્રમાંથી માસાથઃ શબ્દની અનુવૃત્તિ આવે છે તેથી અર્થ એવો થાય કે આ સકર્મક ધાતુઓ જ્યારે ભાસાર્થક હોય ત્યારે માં પ્રયોજાય છે, અને જ્યારે તે અર્થ ન હોય ત્યારે જે બીજા ગણમાં હોય, તેમાં દર્શાવેલા અર્થ પ્રમાણે અને તેના વિકરણ પ્રત્યય સાથે પ્રયોજાય છે, જેમ કે ૮ ધાતુ ભાસાર્થક હોય ત્યારે નિદ્ માં તેનું ટયતિ રૂપ થાય છે. ગ્વાદિ ગણમાં ૮ તે ધાતુસૂત્ર છે ત્યાં તેનું રૂપ રુતિ થાય છે. તે પ્રમાણે ના સ્તન મને ધાતુનાં ગ્વાદિમાં નગતિ તન્નતિ એમ રૂપો થાય, અને જ્યારે ભાસાર્થક હોય ત્યારે ચુરાદિમાં બન્ માં નન્નતિ રૂપ થાય. આ પ્રમાણે તેમણે આ ૨૫ ધાતુઓમાંના મોટાભાગના ધાતુઓનાં ચુરાદિ ગણના તેમજ બીજા જે તે ગણમાં હોય, તે પ્રમાણેનાં રૂપો આપ્યાં છે. અહીં પણ સાયણ, ક્ષીરસ્વામી અને કાશ્યપને ધાતુઓના પાઠ આપવાની બાબતમાં પણ પ્રમાણભૂત ગણે છે તેનો ચોક્કસ પુરાવો મળે છે. ६२. णिडङ्गानिरसने । श्वेताश्वाश्वतरगालोडिताह्वरकाणामश्वतरेतकलोपश्च । (पृ. ५७५) अत्र स्वामी-'पारायणिकास्त्वर्थवद् णिचमनुवर्तयन्ति' इति । एवं काश्यपोऽपि व्याचक्षाणः श्वेतयति इत्यादि परस्मैपदमुदाजहार । ચુરાદિગણના આ ધાતુસૂત્રનો અર્થ એ છે કે શ્વેતાશ્વ, અશ્વતા, તોહિત અને બાહ્ય -આ ચાર જ્યારે બન્ માં પ્રયોજાય ત્યારે યથાસંખ્ય, અશ્વ, ર, ત અને વ નો લોપ થાય છે. આગળના સૂત્રમાંથી fણની અનુવૃત્તિ આવે છે. સાયણે કહ્યું જ છે કે ળિ૨ ધાત્વર્થે ! તેથી ઉપર્યુક્ત શબ્દોનાં તતે, શ્વયતે, તો તે અને હાય-એ પ્રમાણે રૂપો થાય છે. - સાયણ વધારામાં મૈત્રેયને ટાંકે છે : અવાધાડપિ ળિો, વાદન[ (‘ધા.પ્ર.” પૃ.૧૬૫) એનો અર્થ એ છે કે બાહુલકથી બન્ને પ્રયોજવામાં પણ કંઈ વાંધો નથી. સાયણે નોંધ્યા પ્રમાણે “ક્ષી.ત.” (પૃ.૩૩૬) માં આવો જ મત મળે છે: પારાયણ અર્થીનુવૃત્તિવત્ અa fમનુવન્તિા પારાયણિકો અર્થની અનુવૃત્તિની જેમ અહીં પણ બિન્ નું અનુવર્તન કરે છે. એટલે કે ને અનુસરે છે, એટલે કે પરમૈપદ થઈ શકે એમ માને છે. કાશ્યપ પણ એમ જ માનીને છેતયતે ને બદલે શ્વેતથતિ એ પરસ્મપદની તરફેણ કરે છે. આ કિસ્સામાં કાશ્યપને પારાયણિકોનું સમર્થન સાંપડી રહે છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy