________________
122,
બંસીધર ભટ્ટ
SAMBODHI
શ્લોક ૧૬માં મુદ્દા ૧-૨) ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ જણાવ્યા પછી, શ્લોક ૧૭માં (મુદ્દો ૩) ઉત્તમ પુરુષ તો કન્યછે તેમ કહ્યું. આ કન્ય (બીજો , જુદો) પુરુષ (જે ઉત્તમ છે તે) મુદ્દા માં દર્શાવ્યા મુજબનો અક્ષર પુરુષ સંભવી શકે; તે મુદ્દા ૧માં દર્શાવેલા ક્ષર (સર્વે ભૂતોરૂપ) પુરુષથી અન્ય (બીજો, જુદો) છે એટલે શ્લોક ૧૭નો પુરુષ, કૂટસ્થ ઉપરાંત અવ્યય અને ઈશ્વર છે, એક સ્વરૂપે છે, જે સર્વે ભૂતોરૂપ–“અનેક”ના સમૂહરૂપ પુરુષથી જૂદો છે અને ત્રણે લોકમાં વ્યાપ્ત છે. શ્લોક ૧૮ (મુદ્દા ૪)માં કૃષ્ણ-પુરુષોત્તમ-તત્ત્વ ક્ષરથી મુિદ્દો ૧) અને અક્ષરથી મુદ્દા ૨-૩) વિશિષ્ટ હોવાથી
તેને સ્વતંત્ર તત્ત્વ તરીકે ગણી શકાય. મોદી (૬૧૪-૬૧૫) આ પ્રકારનો અર્થ કરે છે. (ii) વિભાગ ૨ (૧) મુદ્દો ૧ (૧૫ઃ૧૬) ક્ષર પુરુષ (૨) મુદ્દો ૨ (૧૫:૧૬) અક્ષર પુરુષ (૩) મુદ્દો ૩ + મુદ્દો ૪ (૧૫:૧૭–૧૮)–ઉપરનાં બંને તત્ત્વથી વિશિષ્ટ; “પરમાત્મા” તે જ
“પુરુષોત્તમ”—કૃષ્ણ શ્લોક ૧૭માં (મુદ્દો ૩) ઉત્તમ પુરુષ તો કન્ય છે તેમ જે કહ્યું, તેમાં અન્ય (બીજો, જુદો) પુરુષ (જ ઉત્તમ છે તે) મુદ્દા ૧માં દર્શાવેલા ક્ષર પુરુષથી તથા મુદ્દા રમાં દર્શાવેલા અક્ષર પુરુષથી અન્ય (બીજો, જુદો) છે. શ્લોક ૧૭નો ઉત્તમ પુરુષ, કૂટસ્થ અક્ષર પુરુષથી જુદો, અવ્યય, ઈશ્વર સ્વરૂપ છે. તે “પરમાત્મા” તરીકે જાણીતો છે; અને તે જ શ્લોક ૧૮માં (મુદ્દો ૪) જણાવેલું કૃષ્ણપુરુષોત્તમ તત્ત્વ છે. શ્લોક ૧૮માં પુરુષોત્તમને ક્ષરથી (મુદ્દો ૧) અતીત અને અક્ષરથી (મુદ્દો ૨)
ઉત્તમ જણાવી, તેનો સંબંધ શ્લોક ૧૭ (મુદા ૩) સાથે સ્પષ્ટ કર્યો છે. (ii) વિભાગ ૩ (૧) મુદ્દો ૧ (૧૫-૧૬) ક્ષર પુરુષ (૨) મુદ્દો ૨ (૧૫-૧૬) અક્ષર પુરુષ, ફૂટસ્થ (૩) મુદ્દો ૩ (૧૫-૧૭) ઉત્તમ પુરુષ, પરમેશ્વર, પરમાત્મા
મુદ્દો ૪ (૧૫-૧૮) પુરુષોત્તમ-કૃષ્ણ અહીં ક્ષર પુરુષ, અક્ષર પુરુષ કૂટસ્થ, ઉત્તમ પુરુષ પરમાત્મા અને પુરુષોત્તમ-કૃષ્ણ, એવાં ચાર ચેતન તત્ત્વમાં ક્ષર પુરુષની ગૌણતાને લીધે તેની ઉપેક્ષા કરીએ તો, ત્રણ મુખ્ય ચેતન તત્ત્વોની
(“કૂટસ્થ”, “પરમાત્મા” અને “પુરુષોત્તમ-કૃષ્ણ”) ગણના લાગે છે. (iv) વિભાગ ૪
(૧) મુદ્દો ૧ (૧૫:૧૬) – ક્ષર પુરુષ. (૨) મુદ્દો ૨ + મુદ્દો ૩ + મુદ્દો ૪ – અક્ષર પુરુષ તેજ પરમાત્મા અને તેજ (૧૫:૧૬-૧૮)
પુરુષત્તમ કૃષ્ણ.
(૪)