SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 119 Vol. XXVII, 2004 ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર (b) આ સમૂહના શ્લોકોમાં કુલ ચાર મુદાનું વર્ણન આવે છે; જેમ કે ૧. ક્ષર પુરુષ સર્વ ભૂતો છે. તે ૨. અક્ષર પુરુષ કૂટસ્થ છે. ઈ (૧૫.૧૬) ૩. અન્ય ઉત્તમ પુરુષ ત્રણે લોકમાં વ્યાપ્ત, ત્રણે લોકને પાળનાર, અવ્યય, ઈશ્વર “પરમાત્મા” છે. J (૧૫.૧૭) - ૪. ક્ષરથી અતીત, અક્ષરથી ઉત્તમ “હું” (કૃષ્ણ) “પુરુષોત્તમ” J (૧૫.૧૮) ઉપરના મુદ્દા (૧)માં “ભૂતો” (પૂતાનિ ૧૫:૧૬) શબ્દથી “ભૌતિક તત્ત્વો,” કે જીવંત પ્રાણી સમૂહ”, કે પછી તે બન્ને : “જીવંત પ્રાણી સમૂહ સાથે સાથે ભૌતિક તત્ત્વો”; એવા ત્રણ અર્થમાંથી અહીં કયા અર્થ માટે “ભૂતાનિ' શબ્દ યોજાયો છે, તે પણ જણાવવું આવશ્યક છે. આ ક્ષર તત્ત્વને ગીતા ૮:૪માં અધિભૂત કહ્યું છે (જુઓ આગળ એકમ ૨); અધિભૂત એટલે ભૌતિક તત્ત્વોનો આધાર, ભૌતિક તત્ત્વમાં રહેલો ચેતન-અંશ. સર્વ ભૂતોમાં આત્મા–ચેતન તત્ત્વ રહ્યો છે તેમ ગીતા. ૬:૨૯ (“સર્વભૂત®માત્માન..) દર્શાવે છે. તે ચેતનને ગીતા ૨૦૨૨માં દી–દેહ ધારણ કરનાર–જીવાત્મા તરીકે જણાવે છે, જેનાં શરીર જન્મ જન્મ બદલાય છે; આ જીવાત્મા સાકાર-કૃષ્ણ–તત્ત્વનો ચેતન–અંશ જીવલોકમાં જીવ-રૂપે થયો છે તેમ જણાવ્યું છે (૧૫૭ નૈવાંશો નીવતો જીવમૂત:); તથા આ જીવરૂપે થયેલું ચેતન તત્ત્વ સર્વભૂતોનું કારણ છે, અને આ સર્વ કાંઈ ધારણ કરી રહ્યું છે (ગીતા–૭:૫-૬; જુઓ આગળ એકમ ૨). તે અવિભક્ત છતાં જુદા જુદાં ભૂતોમાં–ભૌતિક તત્ત્વોમાં–જાણે કે વિભક્ત થયું હોય તેમ રહે છે. (ગીતા ૧૩:૧૬ વિમરું વ ભૂતેષુ વિમમિવ વ તિમ્ I). આ ચેતન તત્ત્વને ઉપનિષદોમાં “ભૂતાત્મા” કહ્યો છે (મૈત્રાયણીય ઉપ. ૩). ચેતન તત્ત્વના જ્ઞાન વગર ભૌતિક તત્ત્વોમાં રહીને આ ભૂતાત્મા-જીવાત્મા–અનેક જન્મ ધારણ કરે છે (સરખાવો =... નીવમૂત:... મન: કનીન્દ્રિયળ પ્રકૃતિન પંતિ ”...જીવાત્મા ...પાંચ ઇંદ્રિયો સાથે છઠ્ઠા મનને આકર્ષી લે છે અને તે સાથે નવાં નવાં શરીર ધારણ કરે છે. ગીતા ૧૫:૭–૮). આમ, ઉપરના શ્લોક–સમૂહમાં, સર તમાં સર્વ ભૂતોનો, કે સર્વ ભૂતાત્માનો, કે જીવાત્માનો સમાવેશ કર્યો છે; તે એક રીતે પુરુષ તત્ત્વનો કે ચેતન તત્ત્વનો જ પ્રકાર છે, તેવું સૂચવે છે. તેથી, અહીં “ભૂતાનિ'(૧૫:૧૬) એટલે ભૂતો, ભૂતાત્મા”, અથવા તો ભૌતિક તત્ત્વો સાથેનો ભૂતાત્મા”. મૂળે અક્ષર તત્ત્વની અપેક્ષાએ આ ક્ષર તત્ત્વ વિકારી છે. (જુઓ ગીતા ૧૩.૬). પરંતુ અહીં જો “ભૂતાનિ" =ફક્ત “ભૌતિક તત્ત્વો”, એવો અર્થ લેવામાં આવે તો “ભૌતિક તત્ત્વોને પુરુષ તરીકે ઓળખાવ્યાં હોય એવો ઉલ્લેખ ગીતા ૧૫ઃ૧૬ સિવાય કોઈ ભારતીય
SR No.520777
Book TitleSambodhi 2004 Vol 27
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy