________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર-સાકાર તત્વ વિચાર
115
નોંધ : અધ્યાય ૮ :
સરખાવો ૯ = ઈશ ઉપ. ૮, કઠ ઉપ. ૩-૨૦, મુંડક ઉપ. ૩-૧-૭, જે. ઉપ. ૩
૮
ગીતા. ૭-૧૨.
સરખાવો ૧૧, ૧૩, ૧૪ = કઠ ઉપ. ૨.૧૨; જે. ઉપ. ૧૬-૧૭ જ્ઞાન-વિષયક કુલ શ્લોકો ૧૧૬; ૫૫.૫% વિજ્ઞાન-વિષયક કુલ શ્લોકો ૯૩; ૪૪.૫% સમગ્ર ગીતામાં અધ્યાય ૭-૧૨=૨૦૯ શ્લોકો =૨૯.૯%
સાકાર-કૃષ્ણ-તત્ત્વના આવા જ્ઞાન અને વિશેષ તો) વિજ્ઞાનને ગીતામાં રાજવિદ્યા (રાજાઓની, ક્ષત્રિયોની વિદ્યા) રાજગુહ્ય (રાજાઓમાં, ક્ષત્રિયોમાં જ ગુહ્ય-ગુપ્ત રાખવા યોગ્ય, એ રીતે ફ્લાયેલી સરખાવો ગીતા ૪:૧-૩) અને ગુહ્યતમ (ખુબ ગુહ્ય રાખવા યોગ્ય) જણાવીને વર્ણન થયું છે (જુઓ ગીતા ૯:૧-૨, ૧૦:૧ ગુહ્ય, ૧૧ઃ૧ ગુહ્ય, ૧૪:૧ સર્વજ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન, ૧૮:૬૩ ગુહ્યથી પણ વધારે ગુહ્ય, ૧૮-૬૪ સર્વગુહ્યમાં ગુહ્યતમ). સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિજ્ઞાનની શરૂઆત ગીતાના નવમા અધ્યાયથી થતાં, વિજ્ઞાનને અહીં “પ્રત્યક્ષ જાણી શકાય એવું” (૯:૨ પ્રત્યક્ષાવામ ) કહ્યું છે. આગળ ચાલતાં, દસમા અધ્યાયમાં ફરીથી (૧૦:૧ મૂય ઇ---) સાકાર-કૃષ્ણ-તત્ત્વનાં વિભૂતિ અને યોગના નામે વિજ્ઞાનનો પરિચય મળે છે. (માઈકરે, ગીતા અધ્યાય ૧૦ (વિભૂતિ, યોગ)નું કાંઈક સામ્ય ઋગ્વદ ૬.૪૭.૧૮ (ઇંદ્ર), ૧૧, ૯૬. ૬ અને ૧૮ (સોમ), ૧. ૧૬૪. ૪૬ (દીર્ઘતમા
ચથ્ય) અને ૪. ૨૬. (વામદેવ)માં દર્શાવ્યું છે.) સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિજ્ઞાનમાં વિભૂતિ અને યોગનો અનુભવ કરાવતી (૧૦:૧૮-૧૯). “પરમ વાણી” (૧૦:૧ પરમ વવ ---- -) અર્જુન માટે પણ પરમ ગુહ્ય અને આધ્યાત્મિક નીવડી, તેનાથી તેનો મોહ દૂર થતાં, તેને સાકાર-કૃષ્ણ-તત્ત્વના ઐશ્વર-રૂપનાં, “અવ્યય આત્મસ્વરૂપ” વિજ્ઞાનનાં દર્શન અગીયારમાં અધ્યાયમાં થયાં (જુઓ ૧૧:૧-૪). આ પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ, સાકાર-કૃષ્ણ-તત્ત્વની અનન્ય ભક્તિથી શક્ય છે, તેમ જણાવી (૧૧:૫૪ મવત્યા તનયા વચઃ+ અવંવિધ =-----જ્ઞાતું છું ૨ તત્ત્વન પ્રવેણું = આ શ્લોકમાં વિચ અવંવિધ:---ની વિશેષ સંધિ છંદભંગને કારણે તો નહીં રહી ગઈ હોય ?), એવા સાકાર-કૃષ્ણ-તત્ત્વને, ગીતાના અધ્યાય ૭-૧૧માં દર્શાવેલા જ્ઞાન-વિજ્ઞાનથી તાત્ત્વિક રીતે જાણવા, દર્શન કરવા અને કૃષ્ણ-તત્ત્વમાં પ્રવેશવા (?)” બારમા અધ્યાયની-અનન્ય ભક્તિની-પ્રસ્તાવના કરીને અગીયારમો અધ્યાય પૂરો થયો. અહીં (૧૧:૫૪), જ્ઞાન (સરખાવો જ્ઞાતુ)ની સાથે દર્શન (સરખાવો દ્રષ્ટ્રમ) શબ્દ વિજ્ઞાન સૂચવે છે. કે કેમ તે, તથા “પ્રવેશ કરવા” (પ્રવેણુમ) જેવા પ્રયોગ અસ્પષ્ટ રહ્યા છે. ટૂંકમાં, ગીતાના ૭-૧૨ અધ્યાયો જ્ઞાન-વિજ્ઞાન વિચારોની સાંકળથી જોડાયેલા હોય એમ રહ્યા છે. ગીતામાં સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાન-વિજ્ઞાનના વિચારો દર્શાવતા આ છ અધ્યાયો એક ભિન્ન સમૂહ હોય એમ રચાયા છે. તેવા વિચારો ગુપ્ત સમયમાં (ઈ.સ.ની લગભગ ૪થી પમી સદીમાં) વિક્સી ચૂક્યા હતા. ગીતા-૧૧:૪૬નું ચતુર્ભુજ-રૂપ શિલ્પ-સ્થાપત્યની