SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ તેમનું, આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન તાર્કિક તત્ત્વજ્ઞાનના અતિ દુર્ગાંમ માર્ગના ઇન્કાર કરે છે, અને સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનની સુરક્ષાની પદ્ધતિને પણ નકારે છે અને ધાર્મિક અનુભવ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને બધા પંથના લેાકેાના આધ્યાત્મિક વારસાની અને જેમને કશે અનુભવ નથી તેની પણ નિલેષ અને નિષ્પક્ષ તપાસ કરે છે, ધાર્મિક ચેતનાની શકિત અને દાવાએ અંગેનુ' આવુ પક્ષણ જેની પશ્ચાદભૂમિમાં માનવજાતને સમગ્ર આધ્યાત્મિક ઇતિહાસ પડેલા છે, તેમાં આધ્યાત્મિક આદના કાલ રહેલા છે, જે એક તરફથી વૈજ્ઞાનિક પ્રકૃતિવાદનાં ખ'ડિત પરિબળાને અને બીજી તરફથી સાંપ્રદાયિક ધમ વાદના વિરાધી છે.૧૫ વર્તમાન તત્ત્વજ્ઞાનમાં ધર્મા પ્રભાવ' પુસ્તકમાં ડૉ. રાધાકૃષ્ણન જે પૂર્ણ આદર્શવાદનું નિરૂપણ કરે છે, તેની રૂપરેખા જોઈએ. તા—(૧) બ્રહ્માંડના આવિષ્કાર, પૂર્ણ માંથી ચેતન, અચેતન સ્વરૂપાને આવિષ્કાર છે. (૨) સૃષ્ટિની પ્રક્રિયા એ છે વચ્ચેનુ ન્દ્ર છે જેમાં (૩) પ્રકૃતિના ગજ અચેતન પર ચેતનની સરસાઈ દ્વારા આંકવામાં આવે છે. (૪) સૃષ્ટિનું અંતિમ ધ્યેય કે મુકામ ચેતનના જડ પરના સપૂર્ણ વિજય અગર તા આત્માના પદાર્થ પરને સર્વેĒપરિ વિજય પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે, પરંતુ અહિં પ્રારંભ અને અંત માત્ર આદર્શ છે અને આપણી પાસે જે છે તે માત્ર એ વચ્ચેને માગ છે, જેના ઉલ્લેખ બ્રહ્માંડ તરીકે થાય છે, જેમાં આપણે સૌ માત્ર યાત્રાળુ છીએ. આ જગત એ કેવળ પરમાત્મા માટેની શેાધમાં નીકળેલા યાત્રીઓની આગેકૂચ છે. જગત એક નિરંતર વહેતા પ્રવાહ છે. જે કંઈ છે તે આ જગત છે અને તેની પાર કશુ છે જ નહિ એવું નથી. આ જગત નિયમને વશ વર્તે છે ને તે પૂર્ણત્વ તરફ ગતિ કરી રહ્યું છે, તે બતાવે છે કે એના પાયામાં કઈક આધ્યાત્મિક સત્તત્ત્વને આધાર છે. આપણી સુષ્ટિ પરબ્રહ્માને નૈસર્ગિક આવિષ્કાર છે. પરબ્રહ્મ શુદ્ધ અને ચેતના છે, શુદ્ધ મુક્તિ છે, અને અનંત શક્તિ છે. પસ`ગીની અન ́ત સંભાવનાએમાંથી, એક વિશિષ્ટ શક્તિ વર્તીમાન જીવ સૃષ્ટિમાં આવિર્ભાવ પામી છે, પરંતુ તેથી કાંઈ પરમ ચૈતન્યની પૂર્ણતા ખંડિત થતી નથી. ૧૬ અનંત ચેતના પેાતાના આવિષ્કાર કરવા પેાતાને બધનમાં મૂકે છે. પરબ્રહ્મની આ સ્વાધનની પ્રક્રિયાને હિન્દુતત્ત્વવેત્તાએ માયા કહે છે. અદ્ભુત બ્રહ્મવાદીએ એક’ને ખાતર “અનેક”ની હસ્તીનેા છેદ ઉડાવી દે છે એમ માની લેવું ખાટુ' છે, એ તે એટલુ જ કહે છે કે એકને અદ્વિતીય એવું બ્રહ્મ તે જગતને વ્યાપી વળેલુ' ચેતન, અને જગતના પ્રેરક અન્તરાઁની આત્મા છે. આ કથનના અથ એવા નથી કે જીવાથી ભરેલું વિકારશીલ જગત મિથ્યા અર્થાત્ અવિદ્યમાન છે. ૧૭ પરબ્રહ્મનાં નિર્ગુણ તેમજ સદ્ગુણ, અપૌરૂષય તેમજ પૌશ્તેય, નિરાકાર તેમજ સાકાર એ ઉભયરૂપ એક જ સત્તું વર્ણ ન કરવાની નિરપેક્ષ અને સાપેક્ષ રીતેા છે, પરમાત્મા એ કાં તા નિહઁણ બ્રહ્મ છે અથવા સગુણ ઈશ્વર છે એમ માની લેવુ' એ ભૂલ છે. તે નિર્ગુણ તેમજ સગુણ, બ્રહ્મ તેમજ ઈશ્વર બને છે. પરમાત્માનાં નિર્ગુણ અથવા અપૌરૂષય રૂપ અને સગુણ અથવા પૌરૂષય રૂપ એ એ એક ખીજાનાં હરીફ નથી, એક, અદ્વિતીય અને
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy