SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શાબરભાષ્યગત ભાષાવિચાર અવગણીને વિચારે અને પ્રત્યતા અનુભવના સંઘપમાંથી ભાષા ઉદ્દભવી એવું નથી, તેથી ભાષાનું અંતરતમ સ્વરૂપ કાલ્પનિક કે નક્કર અનુભવથી ઉદ્દભવ્યું તેવું સંભવિત નથી. શબરસ્વામી ઈન્દ્રિયપ્રત્યકાના માન્ય ભાષાનું સ્વરૂપ બાજવા મથે છે. ઈન્દ્રિયપ્રત્યક્ષને તે યથાર્થતા કે અયથાર્થતાની કસોટીરૂપ લે છે. પણ ઈન્ડિો પિતે જ ભાષા અને વાસ્તવિકતા વચ્ચેના આંતરિક પત્તિક સંબંધ ઉપર આધાર રાખે છે. ઇંદ્રિય અવય ભાષા સાથે સીધે સંબંધ ધરાવે છે. તેથી અનુભવને વાસ્તવિકતા સાથે મેળ હેવાનું તેઓ જાણી જોઈ શકે છે. તેથી ભાષા દ્વારા વાસ્તવિકતાને સમજવા માટે ઈન્દ્રિયે રચનાત્મક સાધન છે, છતાં ભાષા અને વાસ્તવિકતાને સાર પામવા માટે તે તે અસમર્થ છે, આ પરિક સંબંધ એ કેવળ માનસિક કલ્પના કે અટકળ નથી; એ તે બોધિત પદાર્થ અને માનવી વાણીમાં કાયમી ઉપલબ્ધ સાધુશ વચ્ચે સી, પ્રમાણભૂત અને મૌલિક સંબંધ છે અને એમાં બીજા કેઈની દરમિયાનગીરી નથી હોતી. સાધુશ તે પરંપરાથી ઉતરી આવે અને જીવનના સંદર્ભમાં પ્રચલિત રહ્યો હેવાશી, શબ્દ અને અથ વચ્ચેને પપત્તિક સંબંધ એ જ પરંપરામાં ઊતરી આવે છે. આ સંબંધ પરંપરામાં કાયમ જોવા મળે છે અને જાતિ તથા વ્યક્તિ અંગે શખદ આ તિરૂપે રજૂ થાય છે, ઔપત્તિક સંબંધની ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા ચકાસણી કરવી શક્ય નથી, પણ ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉપર આધારિત અનુમાન દ્વારા તે સિદ્ધ થાય છે એમ શબરસ્વામી કહે છે, પપત્તિક સંબંધની વાત કરવા માટે પણ એ સંબંધની હયાતી સ્વીકારવી જરૂરી થઈ પડે છે ! તેનું આ મહત્વ શબરસ્વામીથી અજાણ્યું નથી. શબ્દ એને એ જ હોવા અંગેની ઓળખ માટે તેમાંના વર્ણોની કાયમી આનુ પૂવી અને વાસ્તવિકતા સાથે તેને સતત સંબંધ હેતુભૂત છે. આ રીતે અતિ વખતે ભાષા અને વાસ્તવિકતા એકબીજાની અપેક્ષા રાખે છે અને આપણને એ રીતે એમનું જ્ઞાન થાય છે, શબરસ્વામી ભાષાને એક તાર્કિક સરણી તરીકે સ્વીકારવા તૈયાર નથી. સમગ્ર વરતવિકતા સાથે ભાષાને પાયાને સંબંધ અવગણીએ તે ભાષાને આપણે તાર્કિક પદ્ધતિ ગણી લેવાની ભૂલ કરી બેસીશું. યાતી અને પ્રવૃત્તિ અંગે ભાષા વાસ્તવિકતા સાથે અનિવાર્યપણે સંકળાયેલી હોવા છતાં ભાષાને પાયે અને ઉદ્દવ ભાષા સાથેને વાસ્તવિકતાને યુગપદ સહઅસ્તિત્વમાં રહેલું છે. આ ક્ષત્તિક સંબંધ ભાષાને આપ વિની અંતષ્ટિમાં કેન્દ્રીય મુદ્દો છે અને શબરસ્વામી આનું કેઈ હિસાબે ઉલંઘન કરવા માગતા નથી, કારણ કે ભાષા વાસ્તવિકતાના આ સંબંધથી સ્વતંત્ર હોય તેવી કેઈ હયાતી પ્રગટ કરતી નથી, ભાષા અને વાસ્તવિકતા બંને સ્વયંપ્રત્યયને જન્મ આપે છે. આ સ્વયં પ્રત્યય પિતાની અંદરથી પિતાની મેળે કુદરતી રીતે જ ઉદ્ભવે છે. શબરસ્વામી અહીં વાસ્તવિકતા અને ભાષા વચ્ચેના કેવળ સંરચનાગત મેળ કરતાં કાંઈક વધુ કહેવા માગે છે. શબરસ્વામી સ્પષ્ટ રીતે તે મ્ શબ્દ પ્રયોગ કર્યો નથી, છતાં . ભારતીય પરંપરાને હાક્ષમાં રાખીએ તે ભાષા અને વાસ્તવિકતા વચ્ચે પારસ્પરિક પનિક
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy