SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શાબરભાષ્યગત ભાષાવિચાર ૧૭ વિધાને શબ્દની ફૂટસ્થનિયતા સાબિત કરતાં નથી, શાબરભાષ્યમાંની ઉપરની ચર્ચા મૂળ સત્રના હાદરૂપે ભલે ન હોય, છતાં તેમાં “શબ્દ એને એ જ છે, તેને અનેક વાર ઉચ્ચારવા છતાં એ શબ્દની સંખ્યામાં ફેરફાર થતો નથી આ મૂળ મુદો તે અભિપ્રેત છે જ અને મીમાંસાસત્ર ૧.૧.૧૮થી આરંભાયેલા “નિરંતુ......' એ સિદ્ધાન્તપક્ષને સમર્થનમાં સંહામાયાત [ રૈ. મી. સુ -૧.૧.૨૦] એક વધુ હેતુ રજૂ કરે છે એ લક્ષમાં રાખવાનું છે અને એના સ્પષ્ટીકરણ માટે જ શબરસ્વામીએ આ સૂત્રોના શાબરભાષ્યમાં આ બધી ચર્ચા કરી છે. તેથી તાય એવું ફલિત થાય છે કે શબરસ્વામીએ સમજાવ્યા મુજબ તે શબ્દની ‘નિત્યતા' દ્વારા તેની કાયમી કે સાતત્યવાળી ઇન્દ્રિયગ્રાહ્યતા ઉપર જ પૂર્વમીમાંસાદર્શન ભાર મૂકે છે, નહીં' કે ઉત્તરકાલીન પૂવમીમાંસાદાશનિએ પ્રતિપાદિત કરેલી ફટસ્થનિત્યતા ઉપર શબવામીને અભિપ્રેત આ “નિત્યતા ને તેમને “ન જ શકાતો જં ક્ષો હસ્તે’ એ વિધાનને આધારે ભવિષ્યકાળવાચક અથ પ્રક્ષેપણ કરીને આ “કાયમીપણુ” કે “સાતત્ય 'ના અર્થમાંથી * ત્રિકાલાબાધિત ફૂટસ્થનિયતા ને અર્થમાં ન ઘટાવી શકાય. બિયાએ આ અંગે નીચે મુજબ નિર્ણય તારવ્યું છે : “With all rigour it seems to us that Sabar has shown in this way only one thing, the continuity of Sabda between . . * ૭૭ ' ' ' two enunciations and not its cternity. "U શબ્દના સતત અને કાયમી પ્રગથી થના અનુભવને લીધે શબ્દને “નિય' કહ્યા વિના શબરસ્વામીને છૂટકે જ નથી. શબ્દની ઉત્પત્તિનું પગેરું શોધી કાઢવાની અશક્તિ અને શબ્દના પ્રયોગને અંત આવતું નથી, તેમ જ અનુભવથી શબ્દ એને એ જ છે એવી પ્રતીતિ થાય છે. આ હકીકત શબરસ્વામીના “શબ્દનિત્યતા ને સિદ્ધાંત માટે પાયાની ગરજ સારે છે. અમુક શબ્દ અમુક અર્થ કે વસ્તુને બોધ કરાવવાની કામગીરી બજાવે છે અને કાયમી, ધોરણે આ કામગીરી બજાવવાનું અવિચ્છિન્ન પરંપરા દ્વારા ઉતરી આવ્યું છે. આ બધું જોતાં, શાબરભાવમાં પ્રતિપાદિત કરેલી શબ્દની ‘ત્યના ' શબ્દપ્રયોગના સાતત્ય કે સ્થિરતાને જ સંદર્ભ દર્શાવે છે, અને એ જ અથમાં આપણે નિn: ” એ મીમાંસા સિદ્ધાંતને સ્વીકાર જોઈએ. સાથે સાથે એ પણ લક્ષમાં રાખવું જરૂરી છે કે શબરસ્વામીએ “નિત્યતા ’ની ચર્ચા શબ્દની લૌકિકતા, ઐહિકતા કે સાંસારિકતાના સંદર્ભમાં કરી નથી. આ અંગે ભાષ્યવિષયક કેઈ ગેરસમજ ન ઊભી થાય તે સારુ “શબ્દ ' અને (આકૃતિવિશેષયુક્ત) અથ વચ્ચેનો ભેદ અંગે શારિસ્વામીનું મંતવ્ય યાદ રાખવા જેવું છે. “શબ્દ ' નિત્ય અને એકરૂપ છે. 'અર્થ' આકૃતિ સાથે સંકળાયેલ છે. શબ્દના “એકરૂપ્ય” અને “નિરયત્ન'' ઉપર ભાર મૂકીને શબરરવાની પૂર્વપક્ષીના, આકાશ કે વાયુના આધારે શબ્દ નિત્ય હોઈ શકે એવા, મતનું ખંડન કરે છે. અહીં શબરસ્વામી સ્પ'ટ રીતે શબ્દ એને એ જ છે” એવી તેની સ્વરૂપગત એકરૂપતા ઉપર ભાર મૂકી, એ માટે શબ્દની આ એકરૂપતા અને નિત્યતા અંગે આકાશને કોઈ આધાર અપેક્ષિત ન હોવાનું જણાવે છે. આકાશમાં રહેલું “શબ્દ', ભલે
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy