SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કહાવલી-કd ભર સૂરિના સમય વિષે મધુસૂદન ઢાંકી અદ્યાપિ અપ્રકાશિત, પ્રાકૃત-ભાષા નિબદ્ધ, કહાવલી નામક કથા-ચરિત સંગ્રહ તેની બે સંપૂર્ણ પણ અન્યથા પરસ્પર પૂરક પ્રતેની ટૂંકી મધ્યાન્તર-પુપિકા અન્વયે ભદ્રેશ્વર સૂરિની કૃતિ હેવાનું લાંબા સમયથી જ્ઞાત છે. કલ્પિત જૈન પૌરાણિક પાત્રો અતિરિક્ત આર્ય વજ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, મળ્યવાદિ ક્ષમાશ્રમ, જિનભદ્ર ગણિ ક્ષમાશમણ, યાકિનીસનું હરિભદ્ર સૂરિ, ઈત્યાદિ નિર્મન્ય-ઝવેતામ્બર જનની અગ્રિમ વિભૂતિઓનાં એતિહાસિક ચરિત્ર-ચિત્રણ, અને સાથે જ વિપુલ પ્રમાણમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને ભાષા સમબદ્ધ સામગ્રી ધરાવતા આ બહુમૂલ્ય અંયના કર્તાની સાચી પીછાન અને કૃતિના સમય વિષે સારો એ મતભેદ પ્રવર્તે છે. કહાવલીના આજે ઉપલબ્ધ કેવળ “પ્રથમ પરિચ્છેદથી અપેક્ષિત પ્રિતીય પરિઓના પ્રાન્ત ભાગે પ્રખ્યાતની પિતાના ગણુ-ગચ્છ અને સુરક્રમને પ્રકટ કરતી પ્રચરિત હશે, જે કમ્પમાન ન રાઈ એમના સમયાદિ અનુષગે સ્વાભાવિક જ જુદી જુદી, અને એથી કેટલીકવાર પરસ્પર વિરોધી અટકળો થઈ છે. એ વિષયમાં જોઈએ તે ડે. ઉમાકાન્ત શાહે કહાવલીની ભાષામાં આગમિક ચણિ માં દેખાય છે તેવાં લક્ષણે, તેમ જ એકાદ અન્ય કારણસર તેને ઠીક ઠીક પ્રાણી, અને કેમકે તેમાં છેલ્લું ચરિત્ર યાકિનીસનુ હરિભદ્ર સુરિ (સંભવતા ઈ. સ. ૭૫) સભ્ય છે એટલે તેમના પછી તુરતના કાળની કૃતિ માની છે. ઉલટ પણે (સ્વ) ૫. લાલચન્દ્ર ગાંધીએ તે વિક્રમના બારમા શતકના ઉત્તરાર્ધની, એટલે કે ઈસ્વીસનની બારમી શતાબદીના પૂર્વાર્ધની હેવાને મત પ્રકટ કર્યો છે. તે બીજી બાજુ પં• અમૃતલાલ ભોજકના કથન અનુસાર તેમાં શીલાંક સૂરિના ઉપનમહાપુરિસચરિય (સ. ૯૨૫/ધ સ. ૮૬૮)ના કથા-સન્દર્ભે તેમ જ તે કૃતિ અંતર્ગત જોવા મળતા વિધાનન્દ-નાટકને પણ સમાવે થયે હેઈ તેની રચના નવમા સૈકાથી પરવતો કાળમાં, મેટે ભાગે વિસં૦ ૧૦૫ - ૧૧૫૦ (ઈસ ૯૯૪-૧૯૪) ના ગાળામાં, થઈ હોવી ઘટે. આ સિવાય ૫૦ અંબાલાલ પ્રેમચંદ શાહે સૂચવ્યું છે કે વર્ધમાન સૂરિના ગણરત્નસહેદધિ (સં ૧૧૮૭/ઈ ૫, ૧૧૪૧) માં જે ભદ્રેશ્વર સૂરિના દીપ વ્યાકરણમાંથી ઉતારી હાંકયે છે તે સૂરિ મહાવલીકાર ભદ્રેશ્વર સુરથી અભિન હોઈ શકે. (આ વાત સાચી હોય તે તેટલાથી ભદ્રેશ્વર સૂરિને સમય-વિનિશ્ચય થઈ શકતું નથી.) અને છેલ્લે પ૦ દલસુખ માલવણીયા કહાવલીના કર્તા રૂપે બૃહદગીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય ભદ્રેશ્વર સરિ હેર્વાની સંભાવના પ્રકટ કરે છે, તદનુસાર કહાવલીની રચના બારમા શતકના કેટલા ત્રણેક કલાકામાં મારા થઈ હેવી ઘટે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy