SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલા ૨૮૭ તેથી તેમાં અનેક સ્થળે મૂળના અક્ષરો, શબ્દો અને આ બી ગાથાએ ૫ણું પડી ગયેલી છે. વર્ણસંભ્રમનું પ્રમાણુ પણ બીજી પ્રત કરતાં એમાં ઘણું જ મોટું છે. બંને પ્રતનું વર્ણન નીચે પ્રમાણે છે : ૧. દેશીવાડાની પોળ(અમદાવાદ) માં આવે છે ડહેલાના ઉપાશ્રયના રૂપવિજયજી જૈન ભંડારની પ્રત, માપ ૨૬૪૧૧; હાંસિયા : બાજુના રા, ઉપર-નીચેના ૧૫ થી ૨. મોટા સ્વચ્છ અક્ષરો. આ પ્રત તેમ જ પાલિતાણાવાળી પ્રત ઉપરથી તેમની આધારભૂત પ્રતની કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓનું અનુમાન કરી શકાય છે. મૂળ પ્રતમાં ગાથાના પૂર્વ દલ તેમ જ ઉત્તર દલના પ્રથમ બાર માત્રાના ખંડ પછી સામાન્ય નિયમ તરીકે દંડ મૂકેલો હોવાનું જણાય છે. એ દડને અનેક વાર આ પ્રતના (તેમ જ પાલિતાણાવાળી પ્રતના) લહિયાએ કાં તે આગલા વર્ષના કાના તરીકે, અથવા તો પાછલા વર્ણની પડિ માત્રા તરીકે વાંચી છે. બીજ, મૂળ પ્રતમાં મૂધન્ય, દંત્ય અને એઠથ પૂવવની નાસિક્ય વ્યંજન જ્યાં બીજા વ્યંજન સાથે સંયુક્ત હોય ત્યાં તે સામાન્યત: પ્રાકૃત પ્રતમાં જોવા મળે છે તેમ પૂર્વાવતી વણુ પર અનુસ્વાર મૂકીને નહીં, પણ વર્ગોનુનાસિકથી (જેમ કે ઇ, ન્ત ૨, ૫, ૫, મગ, કમ) ર્શાવાય હે જોઈએ. આ પ્રતમાં તેમ જ પાલિતાણાવાળી પ્રતમાં અનેક સ્થળે મૂળની આ લાક્ષણિકતા જળવાયેલી છે. કેટલીક પ્રાચીન પ્રાકૃત પ્રતિઓમાં આ પ્રથા પણ હશે (સ્વયંભૂત કૃત વયંમુદંડની વડોદરાવાળી હસ્તપ્રત માં પણ લેખનની આ લાક્ષણિકતા છે). અને વર્ગાનુનાસિક લખવાનું પદ પૂરતું મર્યાદિત નથી. પદાંતે અનુસ્વાર હોય ત્યાં પણ કેટલીક વાર તેને બદલે પાછળના વ્યંજનના વર્ગને નાસિક્ય વ્યંજન (સંયુક્ત રૂપમાં) લખેલો છે. ' દસ દસ ગાથા પછી ગાથાસંખ્યા દર્શાવતા ક્રમાંક મૂકે છે. ૮૦ ગાથા સુધી ક્રમાંક બરાબર આપેલો છે. ૯૦મી ગાથાને ભૂલથી ૮૦ને ક્રમાંક આપેલ છે. આ ક્રમ ૪૫૦ ગાથા સુધી ચાલ્યો આવે છે. તે પછી ક્રમાંક આપવામાં એક ગાથાની ભૂલ થયેલી છે અને A સંપાદિત પાઠની ૪૫૯મી ગાથાને ૪૫૦ને ક્રમાંક આપેલ છે. ૯૩૮ અને ૯૪૦ ગાથા વચ્ચેના ત્રુટિત પાઠમાં, તથા ૧૧૨૪ અને ૧૧૨૬ ગાથા વચ્ચેના ત્રુટિત પાઠમાં, અહીં માન્યું છે તેમ એકએક નહીં, પણ બએ ગાથાઓ હોવી જોઈએ, તથા ૯૪૭મી ગાથા પછી એક ગાથા મુદ્રિત પાઠમાં ભૂલથી રહી ગઈ છે (એ પાછળ શુદ્ધિપત્રમાં આપી છે)– - આ ઉપરથી હિસાબ લગાવતાં કુલ ગાથા સંખ્યા, નવ ગાથાની ભૂલને કારણે, પ્રતાની ૧૬૩૪ને બદલે ૧૬૪૩ થશે. પ્રતના લહિયાએ ( અથવા તે તેની આધારભૂત પ્રતની લહિયાએ ) કેટલાક અક્ષરો વાંચવામાં ભૂલ કરેલી અને તેથી મૂળના કેટલાક અક્ષરને બદલે પ્રતમાં ભળતા જ અક્ષર મળે છે. આ પ્રકારની ગરબડ પણ નિયમિતપણે નહીં, પણ પ્રબળ વલણ તરીકે હોઈને કેટલેક સ્થળે અમુક અક્ષર સાચી રીતે, તો અન્યત્ર ખોટી રીતે વંચાયેલું છે. આ ઉપરાંત ગાથા, ૫ ક્તિ, પંક્તિ ખંડ કે શબ્દ છોડી દેવાનું વલણ અનેક વાર જોવા મળે છે. અક્ષર, અનુસ્વાર, માત્રા, પડિમાત્રા, કાન કે હસ્વ વરડુ લખવાં રહી ગયાં છે. અક્ષર, - અનુસ્વાર કે કાનો વધારાનો છે. અનુસ્વારને માત્રા તરીકે, માત્રાને અનુસ્વાર તરીકે, કાનાને દંડ તરીકે, પડિમાત્રાને પૂર્વવતી અક્ષરના કાના તરીકે, અંત્ય એકવડા દંડને કોના તરીકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520757
Book TitleSambodhi 1978 Vol 07
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1978
Total Pages358
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy