________________
તરંગલેલા
જે ચક્રવાકયુગલ હતું, અને આ ભવમાં જે દંપતીને તમે ચેરપલ્લીમાંથી બહાર કાઢીને જીવિત દાન દીધું હતું તે આ અમે જ છીએ. જેમ તે વેળા અમારા દુઃખનો તમે અંત આણ્યો હતો, તેમ અત્યારે ફરી પણ તને અમને દુઃખમુક્તિ અપાવે. (૧૫૨૬-૧૫૨૭). જન્મમરણની પરંપરામાં ફસાયેલા રહેવાને લીધે અનેક દુઃખોથી રેલા, અને અનિયત ને કારણે દુઃખરૂપ એવા સંસારવાસથી અમે ભયભીત થયાં છીએ. (૧૫૨૮). વિવિધ તપ અને નિયમનું ભાથું લઈને, જિનવચનેના સરળ માગે, મેં કવણ પહોંચવાને ઉત્સુક બની તમને અનુસરવા ઈચ્છીએ છીએ.” (૧૫૨૮).
શમણે આપેલી હિતશિક્ષા
એટલે તે સુવિદિત શ્રમણે કહ્યું, “જે સતત શીલ અને સંયમ પાળશે, તે બધાં દુઃખોમાંથી સત્વર મુક્તિ પામશે. (૧૫૩૦ . તમે સેંકડા જન્મની પરંપરામાં ફસાવાની અર્ધગતિના અનુભવમાંથી બચવા ઈચ્છતા હો, તો પાપકર્મને ત્યાગ કરે અને સતત સંયમ પાળા. (૧૫૩૧) મરણ નિશ્ચિત હોવાનું આપણે જાણીએ છીએ, પરંતુ એ કયારે આવશે તે આપણે જાણતા નથી. તો જીવતરને તે અંત લાવે ત્યાં સુધીમાં તમે ધર્મ આચરે તે જ ઇષ્ટ છે. (૧૫૩૨). મુશ્કેલીથી શ્વાસ લઈ શકતો હોય, પ્રાણ ગળે અટક્યા હૈય, ભાન ચાલ્યું ગયું હોય તેવા મરણાસન મનુષ્યને માટે જટિલ તપશ્ચર્યા કરવાનું શક્ય નથી. (૧૫૭૩). આયુષ્ય સતત સરી જતું હોઈને, પાંચેય ઈદિને સહર્ષ વાળી લેનાર જ સુગતિના પંથ પર વિચરવાને યોગ્ય છે.(૧૫૩૪). સત્કાર્યમાં અનેક વિના આવતાં હોઈને, જગતમાં જીવિત પરિણામી અને અનિત્ય હોઈને, ધર્માચરણના કર્તવ્યમાં શ્રદ્ધા વધારતા રહેવું. (૧૫૩૫). જેને મૃત્યુ પકડે તેમ નથી, જે કદી દુઃખ પામે તેમ નથી તે જીવ તપ અને સંયમ ન કરે તો ભલે. (૧૫૩૬). મરણ નિશ્ચિત હોઈને, ગમે ત્યારે ચાલ્યા જવાનું હોઈને લેકે સંયમનો પ્રકાશ પામીને...(૧૫૩૭). વળી દુ:ખ નિશ્ચિત હોઈને, જીવન ચંચળ હેઈને, મનુષ્ય હંમેશાં ધર્માચરણમાં બુદ્ધિ રાખવી.” (૧૫૩૮).
તત્કાળ પ્રવજ્યા લેવાની તૈયારીઃ પરિચારકેને વિલાપ
આ પ્રમાણે તે સુવિહિત સાધુનાં વચન સાંભળીને, આયુષ્યની ચંચળતાથી ખિન્ન - બનીને, તપશ્ચર્યા આદરવા માટે ઉત્સાહી એવાં અમે બંને આનંદિત બન્યાં. (૧૫૩૯).