SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા २३ ક્ષાર અને ઔષધિઓના વેગથી ફળ ફૂલ ને પરાગ (?) ત્વરિત ઉત્પન્ન કરી શકાય છે. તેનાં કારણે આપણે ઈંદ્રજાળમાં જેમ જઈએ છીએ તે પ્રમાણે દર્શાવાયાં છે. (૧૫૫). ઔષધિના ગુણભાવે વૃક્ષોને તરત ઉગાડવાની (૨), અથવા તો ફળ ફૂલે કે વિવિધ રંગનું નિર્માણ કરવાની ઘણી રીતો છે ()” (૧૫૬): પિતાજીએ એ પ્રમાણે કહ્યું એટલે મેં એ પુષ્પગુચ્છને લાંબા સમય સુધી સુંઘી જોયો અને બરાબર ધ્યાનથી તેને તપાસ્યા. (૧૫૭). રોહાપોહ અને વિચારણાની શક્તિ ધરાવતી મારી બુદ્ધિ વડે તેના રંગ, રસ, રૂપ અને ગંધના ગુણોની માત્રાનું મેં બરાબર પરીક્ષણ કર્યું, અને મને કારણ સમજાયું, એટલે સવિનય મસ્તક પર અંજલિ રચીને મેં, પિતાજીને નિકટના પરિચય વિશ્વસ્ત મનથી(2) કહ્યું (૧૫૮–૧૫૯] : “વૃક્ષની ભેગ, કાળ, ઉત્પત્તિ, પાષણ, પોષણનો અભાવ તથા વૃદ્ધિ – એ બધું સમજ્યા પછી જ તેમની મૂળ પ્રકૃતિ અને તેમાં થયેલા વિકાસ જાણી શકાય. (૧૬). વળી તે વિકારો કેઈ કળાવિદની પ્રગવિધિને કારણે પણ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આ પુષ્પગુચ્છને વિશિષ્ટ રંગ તમે જે પાંચ કારણોનો નિર્દેશ કર્યો છે તેમાંનાં એક્યનું પરિણામ નથી (૧૬૧). પિતાજી, આ ગુચ્છને જે રંગ છે તે સુગંધી ને રતાશ પડતી પીળી પરાગરજના થરને લીધે છે, અને તેની વિશિષ્ટ ગંધ સૂચવે છે કે તે ઉત્તમ પાને પરાગ છે.” (૧૬૨). એટલે પિતાજી બોલ્યા, “બેટા, વનની વચમાં રહેલા સપ્તપર્ણના પુષ્પમાં કમળરજ હોવાનું કઈ રીતે બંધ બેસે ? (૧૬૩), એટલે મેં કહ્યું, “પિતાજી, સપ્તપર્ણને આ પુષ્પગુચ્છ કમળરજ વડે રતાશ પડતો પીળો કઈ રીતે થયે હશે તેના કારણનું મેં પદ્ધતિસર જે અનુમાન કર્યું છે તે તમે સાંભળે. (૧૬૪). જે સપ્તપર્ણ વૃક્ષનાં આ ફૂલે છે તે વૃક્ષની સમીપમાં, શરદઋતુમાં શોભાવૃદ્ધિ પામેલી કોઈક કમળતળાવડી હોવી જોઈએ. (૧૬૫). ત્યાં સૂર્યકિરણોથી વિકસેલાં અને પોતાની પરાગરજે રતાશ પડતાં પીળાં બનેલાં કમળામાં પરાગના બે ભ્રમરવૃંદ ઊમટતાં હોય. (૧૬ ૬). ઘાટી પરાગરજની રતાશ પડતી પીળી ઝાંયવાળા એ શિમરે ત્યાંથી ઊડીને બાજુના સપ્તપર્ણની પુપપેશીઓમાં આશ્રય લેતા હોય. (૧૬૭). ભ્રમરવંદના પગે ચેટલી કમળરજના સંક્રમણથી તે સપ્તપર્ણનાં પુષ્પ કમળરજની ઝાંય પામ્યાં હેય () (૧૬ ૮). આ વસ્તુ આ જ પ્રમાણે હવામાં કશે સંદેહ નથી.” એ પ્રમાણે મેં કહ્યું એટલે પેલી માલણ બોલી, “તમે બરાબર કળી ગયાં.” (૧૬૯). એટલે મને ભેટી, ભારું મસ્તક સ્વી પિતાજીએ હર્ષભરેલ હૈયે અને પુલકિત શરીરે આ પ્રમાણે કહ્યું (૧૭૦) : “બેટા, તેં મર્મ બરાબર જાણ્યો. મારા મનમાં પણ એ જ પ્રમાણે હતું, પરંતુ તું જે કળા શીખી છે તેને પરીક્ષા કરવા પૂરતું જ મેં તને પૂછયું હતું.(૧૭૧). કૃશદરી, તને વિનય, રૂપ, લાવણ્ય, શીલ અને ધર્મવિનય—એવા ગુણોથી યુક્ત ઉત્તમ વર જલદી મળજો.” (૧૭૨). S
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy