SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત તરંગવતી સ્થા (તરંગલોલા) પ્રાચીન કાવ્યોમાં, પ્રબંધોમાં અને લેકકથાઓમાં તેમ જ ઇતિહાસમાં મળતી, ગોદાવરીકાંઠેના પ્રતિષ્ઠાનનગરમાં (હાલના પૈઠણમાં) રાજ્ય કરતા સાતવાહન-હાલની કીર્તિગાથા વિક્રમાદિત્યની કીર્તિગાથાથી પણ વધુ ઉજજવળતા ધરાવે છે. તેનું “કવિવત્સલ બિરુદ હતું, અને બૃહત્કથાકાર ગુણાઢ૦ જેવા અનેક કવિઓ તેની રાજસભાના અલંકાર હોવાની અનુશ્રુતિ પ્રાચીન કાળથી મળે છે. તેના રાજકવિઓ અને કવિમિત્રોમાં પાદલિપ્તસૂરિ, પાલિત્ત કે શ્રીપાલિતનો પણ સમાવેશ થયો હતો, આશરે સાતમી શતાબ્દીથી પ્રચલિત જૈન પરંપરા પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ “તરંગવતી' નામે એક અદ્ભુત પ્રાકૃત કથા રચી હતી. પછીના પ્રાકૃત કથાસાહિત્ય પર તેને સારો એવો પ્રભાવ પડવો જણાય છે. દુર્ભાગ્યે એ કથાકૃતિ લુપ્ત થઈ ગઈ છે.. પરંતુ પાછળના સમયમાં કરવામાં આવેલ તેનો એક સંક્ષેપ જળવાયો છે. આ સંક્ષેપનું પ્રમાણ આશરે ૧૬૪૨ ગાથા જેટલું છે. સંક્ષેપકારે કહયું છે કે પાદલિતે રચેલી ગાથાઓમાંથી જ પસંદગી કરીને તથા કઠિન દેશ્ય સબ્દો ટાળીને તેણે સક્ષેપ તૈયાર કર્યો છે. સંક્ષેપકાર કોણ છે અને તેને સમય કરે છે તે બાબત નિશ્ચિત થઈ શકી નથી. સંક્ષેપની અંતિમ ગાથામાં થોડીક માહિતી છે, પણ તે ગાથા ભ્રષ્ટ છે અને તેનો શબ્દાર્થ તથા તાત્પર્ય અસ્પષ્ટ રહે છે. હાયપુરીય ગ૭ના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્ર ગણિ અથવા તેનો શિષ્ય “જસ ( “જૈન ગ્રંથાવલી ” પ્રમાણે યશ સેન ) આ સંક્ષેપનો રચનાર છે કે માત્ર પ્રતિલિપિકાર છે, અને તે ક્યારે થઈ ગયો, તે કહી શકાતું નથી. ભદ્રેશ્વરની “કહાવલી” (રચનાકાળ એક મતે અગિયારમી સદી)માં પણ તરંગવતીને સંક્ષેપ આપેલ છે. “સખિત્ત-તરંગવઈ-કહીને પાઠ ઈ.સ. ૧૯૪૪માં કસ્તૂરવિજય ગણિએ પાંચ પ્રતને આધારે સંપાદિત કરીને શ્રી નેમિવિજ્ઞાન પ્રસ્થમાલાના નવમા રત્ન તરીકે પ્રકાશિત કર્યો છે. મૂળ પ્રતિમાં પાઠ ઘણે સ્થળે ભ્રષ્ટ છે. પરંતુ મોટા ભાગની ગાથાઓ શુદ્ધ છે, અને પરિણામે અર્થ ન પકડાય કે સંદિગ્ધ રહે તેવાં સ્થાન ઓછાં છે. આ અત્યંત મહત્વની પ્રાકૃત કથાકૃતિ પ્રત્યે, ઈ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થયેલ લેમાનકૃત જન અનુવાદ દ્વારા સાહિત્યરસિકનું પ્રથમ ધ્યાન દેરાયું. આ જર્મન અનુવાદ ઉપરથી નરસિંહભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૨૪ના જૈન સાહિત્ય સંશોધકમાં છપાયે, અને તે પછી સ્વતંત્ર પુસ્તિકારૂપે તે બે વાર પ્રસિદ્ધ થયો છે. અહીં સંપિત્ત-તરંગવઈકહી 'ની મૂળ ગાથાઓ કેટલીક દેખીતી ભૂલો સુધારી લઈને અને છંદદષ્ટિએ ચકાસીને ગુજરાતી અનુવાદ સાથે આપેલી છે. આ સંક્ષેપમાં પણ જે ઉત્કટ કથારસ, ઊંચી નિસગવર્ણન અને ભાવવર્ણનની શક્તિ તથા શબ્દપ્રભુત્વ પ્રતાન થાય છે, તે ઉપરથી પણ સત્તર-અઢારસો વરસ પૂર્વે રચાયેલી પાદલિપ્તસૂરિની અમર કૃતિની કાંઈક ઝાંખી થશે, રેવલલભ ભાયાણી
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy