________________ Errorl Reference source not found. Error! Reference source not found. 14 અર્થપર્યાય. 15 વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે, ને નવમાં ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. 16 જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. 17 જિન અને જૈન શબ્દનો અર્થ : “ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસેં, મતવારા સમજે ન.” - સમયસાર 18 સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે. 19 વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે. 20 જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે, પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. 21 બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. 22 ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. 23 જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાત છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી, અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. 24 જ્ઞાની ઉદયને જાણે છે, પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. 25 ઇંદ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇંદ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. 26 બારમા ગણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. 27 મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેનું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ