________________ Errorl Reference source not found. 17 Error! Reference source not found. 12 મોરબી, અષાડ સુદ 15, ગુરૂ, 1956 1 જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. 13 મોરબી, અષાડ વદ 1, શુક્ર, 1956 1 ‘દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ ‘કલ્યાણ જેને માન્ય છે,’ એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો સ્લોક છે: 'देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्.' આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. 2 આપ્તનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ તે સંબંધી ‘તત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છેઃ 'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થઃ- “મોક્ષમાર્ગમ્ય નેતારં’, (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષનું ‘અસ્તિત્વ', માર્ગ', અને ‘લઈ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેસ્તાર કર્મભૂભુતા' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે, એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા