SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યક્તા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મન:પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું. પરીક્ષા કરવી એ દર્ઘટ છે. તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મન:પર્યવજ્ઞાન છે. 57 લોકોમાં ઓઘંસજ્ઞાએ એમ માનવામાં આવતું કે “આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.” ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું. પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યકત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. 58 શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે’ તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,” તે વાત પણ સત્ય છે; કારણ ' નિયસમ્યકત્વ’ છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે, અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી, ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ’ કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા શૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યકત્વ છે એમ કહેલું છે. 59 ‘સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે એમ કહેલું છે; અર્થાત પોતાને વિષે સમ્યકત્વ છે એમ કહ્યું છે. 60 સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિ સાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. 61 સમ્યકત્વનાં લક્ષણો : (1) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. (2) મોક્ષમાર્ગ તરફ વલણ. (3) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. (4) સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ.
SR No.331087
Book TitleVachanamrut 0957 Upadesh Chhaya 04 to 05
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy