________________ ન થાય, તોપણ ‘ઇરિયાપથને વિષે વહેતાં ‘ઇરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. 74 જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. ૭પ તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. 76 ‘ક્ષેત્રસમાસ'માં ક્ષેત્રસંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી; પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. 77 જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યક્ત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો ‘મતિ અજ્ઞાન’, ‘શ્રત અજ્ઞાન’, અને ‘અવધિ અજ્ઞાન’ એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. 78 મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે ‘અજ્ઞાન’ છે, અને સમ્યકૃત્વસહિત હોય તો ‘જ્ઞાન’ છે. તે સિવાય બીજો ફેર નથી. 79 રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ ‘કર્મ' છે, શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે ‘કર્મ' કહેવાય અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ ‘નિર્જરા’ છે. 80 અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે - જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત મોક્ષ સમજાય છે.” આ વાત ‘શુદ્ધનય’ની અથવા “નિશ્ચયનયની છે. પર્યાયાર્થી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે.