SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (8) ક્ષમાપનાનો પાઠ.11 (3) | કંદમૂળનો ત્યાગ (4) અભક્ષ્યનો ત્યાગ’ (9) | સત્સમાગમ અને શાસ્ત્રનું સેવન. (5) | રાત્રિભોજનનો ત્યાગ ‘સિઝંતિ,’ પછી ‘બુઝંતિ,’ પછી ‘મુઍતિ,’ પછી ‘પરિણિગ્લાયંતિ,’ પછી ‘સલ્વદુખણમંતંકવંતિ,' એ શબ્દોના રહસ્યાર્થી વિચારવા યોગ્ય છે. ' સિઝેતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી ‘બુઝંતિ’ બોધસહિત, જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ ‘બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઍતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા ‘પરિણિધ્વાયંતિ' અર્થાત નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો ‘પરિણિબાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા ‘સલ્વદુખાણમંતંકરંતિ અર્થાત સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો. 37 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया; नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદગુરુને નમસ્કાર. 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभताम, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેરા, ભેદનાર, સમગ્ર તત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, 11 મોક્ષમાળા શિક્ષાપાઠ 56
SR No.331085
Book TitleVachanamrut 0956 Upadesh Nondh 35 to 41
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy