SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગોમટસાર. શ્રી તત્ત્વસાર. | શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. | શ્રી પ્રવચનસાર. શ્રી આત્માનુશાસન. | શ્રી સમયસાર. | શ્રી મોક્ષમાર્ગપ્રકાશ. 17. શ્રી પંચાસ્તિકાય. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. 18. | શ્રી અષ્ટપ્રાભૃત. 9. | શ્રી યોગદ્રષ્ટિ સમુચ્ચય. 19. શ્રી પરમાત્મપ્રકાશ. 10. | શ્રી ક્રિયાકોષ. 20. શ્રી રમણસાર. આદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સદ્ભુત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. 16 મુંબઈ, કાર્તિક વદ 11, 1956 જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે. 17 મુંબઈ, કારતક વદ 11, 1956 વસ્તુતઃ બે વસ્તુઓ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઈને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊચું, ધાન્ય થયું; લોકોએ ખાધું; કાળાંતરે લોઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયોને કલ્પના રૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયો વડે લોક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યો. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેણદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવઅજીવનો, જડ-ચૈતન્યનો ભેદ કરવો એ વિકટ થઈ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તો જડ-ચૈતન્ય ક્ષીર-નીરવત ભિન્ન સ્પષ્ટ ભાસે.
SR No.331085
Book TitleVachanamrut 0956 Upadesh Nondh 35 to 41
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy