SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદોરમાં ત્રુટ પડે એમ હતું. તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયો છે. હવે પૂછવું છે ? લોકો એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પોષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીનો અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા-ગાણાથી ન સરે. એથી તો ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ0_સાહેબ ! ચંદ્રસુરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદુ- પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા-સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસુરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મુકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમનો રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છૂટકો છે. ભવપરિપાકે સર્વિચાર સ્ફરે અને હેતુ, પરમાર્થનો વિચાર ઊગે. મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેફયાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે: મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. 12 મુંબઈ, કારતક વદ 9, 1956 (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીનાં દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન)
SR No.331084
Book TitleVachanamrut 0956 Upadesh Nondh 26 to 34
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy