________________ શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દ્રષ્ટિ સમ્યક જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર સ્લોક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ઋતુને સન્નિપાત થયો છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂછયોગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. મોરબી, ચૈત્ર વદ 8, ગુરુ, 1955 પરમ સત રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યફદ્રષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. પ્ર0- શ્રી નવપદ પૂજામાં આવે છે કે “જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પોતે જ્ઞાન છે તો પછી ભણવાગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલ્ય છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશશ્રવણની કે શાસ્ત્રવાંચનાદિની શી જરૂર ? 2 બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વર્ષ 1955 નું ચોમાસું કોરું ગયું અને 1956 નો ભયંકર દુકાળ પડ્યો. 3 “જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે;