SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. 32 મુંબઈ, આશ્વિન, 1949 जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो। असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ||22|| जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो। સુદ્ધ તેસિં પરત મ« ટોડ઼ સવ્વસો aa2aaaa શ્રી સૂયગડાંગ, સૂત્ર, વીર્યાધ્યયન 8 મું 22-23 ઉપર જ્યાં ‘સફળ’ છે ત્યાં “અફળ’ ઠીક લાગે છે, અને ‘અફળ’ છે ત્યાં ‘સફળ’ ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે ? તેનું સમાધાન કે: લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બન્ને બરાબર છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યફદ્રષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાદ્રષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યફદ્રષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. 33 વૈશાખ, 1950 નિત્યનિયમ8 ॐ श्रीमत्परमगुरुभ्यो नमः સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈ પણ જીવ 18 આ જે નિત્યનિયમ જણાવેલ છે તે “શ્રીમ’ ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈએ યોજેલ છે.
SR No.331084
Book TitleVachanamrut 0956 Upadesh Nondh 26 to 34
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy