________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૮] પરંતુ આ વાતમાં મેં કહ્યું કે પ્રત્યક્ષ પંચાંગનો આશરો લે તે આ પંચાંગ જૈન સંઘ સદા માટે સ્વીકારે અને તે રીતે આ સાલ મંગળવારી સંવછરી બધા કરે. આ માટે એમણે રામચંદ્રસૂરિજીને પૂછી જોયું પણ તે તેને નથી ગમ્યું.
પરંતુ તે પિત-પ્રેમસૂરિ-તે માટે તૈયાર થયા છે. તેમનું કહેવું એવું છે કે અમદાવાદના મુખ્ય મુખ્ય આચાર્યોને ડહેલે કે બીજે કસ્તુરભાઈ “ભેગા કરે અને કહે કે પ્રત્યક્ષ પંચાંગ સ્વીકારી મંગળવારી બધા કરે.” આપણે અને પ્રેમસૂરિએ તુર્ત કબૂલ કરવું, શમસૂરિજીને સમજાવવા પ્રયત્ન થાય. ન માને તે તેને દબાવવા પ્રેમસૂરિ ઉપવાસ ઉપર ઊતરે, અગર છેવટે તેને મૂકી દઈને પણ પ્રેમસૂરિ બધી રીતે આપણામાં બારપવી અને સંવછરીમાં જોડાઈ જાય આ ગણત્રી છે.
આ વાત પૂ. આ. ઉદયસૂરિજી મહારાજ, પૂ. ચંદ્રસાગરસૂરિ મહારાજ અને ડહેલાને પૂછી, પણ તે બધાને નિર્ણય આપના ઉપર અવલંબે છે.”
આ જ મતલબનો એક પત્ર શ્રી પુણ્યવિજયજીએ પણ શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યો.
પં. મફતલાલ, શ્રી પુણ્યવિજ્યજી વગેરેના પત્રોના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ જણાવ્યું : પ્રેમસૂરિજીની મંગળવારની આ નવી ભાંજગડમાં પડવાની અમારી સલાહ નથી. પહેલાં સિદ્ધિસૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી અને રામચંદ્રસૂરિજી–આ ચારેની બાર પર્વતિથિની પ્રણાલિકાને સ્વીકારવાની લેખિત કબૂલાત લેવી જોઈએ, પછી જ આવી કોઈ પણ ભાંજગડમાં ભાગ લે વ્યાજબી છે.”
આ વાતના અનુસંધાનમાં એમણે સત ફૂલચંદ છગનલાલ પરના પિતાના પત્રમાં પણ લખ્યું કે “આપણે તે સામા પક્ષની પાસે મંગળવાર કરાવવાની પણ આશા કે ઈચ્છા રાખવાની જરૂર નથી. તેઓને તિથિ કે સંવછરી જે રીતે કરવી હોય તે રીતે ભલે કરે, આપણને હવે શાંતિથી મંગળવારની સંવછરી કરવા દે, એટલું જ બસ છે.”
શ્રી વિજયનંદનસૂરિજીની અંગત માન્યતા આવી હતી : “આપણા પક્ષમાં તે સર્વસમ્મતિએ મંગળવારે સંવત્સરી કરવાની નકકી જ છે. તે પછી સામા પક્ષ ખાતર પંચાગ પરિવર્તન કરવાની શી જરૂર છે? એમને ઉચિત લાગતું હોય તો એ લોકો ભલે મંગળવાર કરે. પણ એ લે કે મંગળવાર કરે, એ માટે આપણે જેન સંઘના તમામ ગરને સર્વમાન્ય ચંડૂ પંચાંગને ત્યાગ કરીને માત્ર તપાગચ્છમાં જ સ્વીકાર્ય બની શકે એવું નવું પંચાંગ માનવું, બિલકુલ ઉચિત નથી. હા, સામે પક્ષ બારપર્ધીની નવી પ્રણાલિકા છોડવાનું જાહેર કરે તો કોઈ પણ બાબતને વિચાર કરીએ. પણ તેવું તે છે નહિ. પછી શા માટે પંચાંગની બાબતમાં એમને ખાતર સર્વ ગરોથી જુદા પડવું ?”
પણ ભાવી જુદું જ હતું. સામા પક્ષની વારંવારની ઉદીરણાથી પ્રેરાયેલા મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org