SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ યથા : संवत १३६१ ज्येष्ठ शुदि ९ बुधे श्रीमालज्ञातीय ठ तिहुणा सु- [पं. १] महं. पदम महं. वीका महं हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [पं. र] निज पितृपितामह मातामह भ्रातृ स्वसृ श्रेयोर्थं चतुर्विंशतिपट्टः का [पं. ३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रसूरिभिः । પવતું ! સમત ...પટ્ટના કારાપકો તથા પ્રતિષ્ઠાપક સૂરિના ગચ્છ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮નો આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કોરેલ છે : યથા : સા સા ા સ્થાની I શ્રીહૂ ! હા (?) | જાથી (વાદી ?) [ સંવત ૨૪૨૪ વર્ષે श्री श्रीमालन्यातीअ श्रेष्ठी करमण भार्या करमादे सुत सारंग भार्या सहित [१] उलगिसहा [२] પંદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવર”ને નમ્યાનો ઉલ્લેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે? પ્રસ્તુત જિનનો નિર્માણકાળ આથી ઈ. સ. ૧૪૩૮ના અરસાનો અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય” પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પૂનિગ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટે ભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હોવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં લેખકનો “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ) જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણના જિનચતુર્વિશતિપટ્ટ (૩૮" x ૨૧")ની નીચે આ સં. ૧૪૯૯ | ઈ. સ૧૪૪-૪૩નો ટૂંકો લેખ છે : યથા : [पं. १ ] सं. १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन છે..તેવયુતે ચતુર્વિ. [૫, ૨) પટ્ટ તિઃ પ્રતિ. શ્રી સોમસુરારિ લેખનું મહત્ત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય-રાણકપુરના જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ ચતુર્મુખમહાવિહાર તેમ જ દેવકુલપાટક(મેવાડ-દેલવાડા)માં પ્રતિષ્ઠાઓ કરનાર તપગચ્છાલંકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલ્લેખો છે. અને સમરસિહ તે કદાચ “કલ્યાણત્રય'ના મંદિરને સં. ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપકો (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249382
Book TitleUjjayantgirina Ketlak Aprakat Utkirna Lekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size411 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy