SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પરમેષ્ઠિના પાંચ રંગોની જે કલ્પના કરી છે, તે કેટલી યથાયોગ્ય છે, તેનો વિચાર કરીએ..... પંચપરમેષ્ઠિ જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાના અનેક કેન્દ્રો ને ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય તાળવું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પૂરાયેલો હોતો નથી અને તે કોમળ હોય છે. એ જ સહસ્ત્રદલ કમલનું કેન્દ્ર છે કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાંનું છઠું ચક કે જેને આજ્ઞાચક કહેવામાં આવે છે. તેનું સ્થાન બે ની વચ્ચે રહેલ ભ્રકુટી છે તે ગુરુનું સ્થાન છે અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા પરમાત્મદેવનું મિલન થાય છે એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે બ્રકુટિ સ્થાનમાં ઈચ્છા અને વિચારને સ્થગિત કરી દઇએ, ત્યાં શું બંધ આંખે દેખાય છે તે ટા બની જોયાં કરવું, ધ્યાન કરવું. તે અનેક પ્રકારના ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે. કારણ કે પરમાત્મ તત્વ પૂર્ણ જ્ઞાતા અને દેટા છે. માટે સાધકે પણ કર્તા-ભોકતા મટીને એટલે કે ઈચ્છા અને વિચારને છોડીને દ્રશ્યથી જુદાં પડવા માટે દ્રશ્યને જોતાં શીખવું જોઈએ. પરંતુ ઈચ્છા અને વિચાર થઈ દ્દશ્ય સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે અને ક્રમિક વિકાસપ્રમાણે નીલવર્ગ જેવું દેખાશે. આગળ તે દર્શનને દ્દઢ કરતાં કરતાં વર્ણાતર થયાં જ કરશે અને પરિણામે પરમ ઉજ્જવલ. પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે. હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંચ્યો હોય તે કહેવું અશકય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય એટલે ગમે તે વર્ગ દેખાય. વળી સાધનામાં જો ચઢ-ઊતર થાય તો તે પ્રમાણે પણ વર્ણાતર થાય. પરંતુ આ વર્ગદર્શનનો સાર એ છે કે સાધકે એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પદનું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળે પાણા પ્રયોગ કરવાથી મળે. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે પંચપરમેષ્ઠિના વર્ગમાં, સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણ વર્ણવ્યા છે એમાં અવર્ણ, ગંધ, અરસ આદિ ગુણો કહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે. જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વાર્ણ રક્ત હોય છે જે પછી શેત બને છે તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં દર્શન થાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠિના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસે તીર્થકર ભગવંતો પણ પાંચ વર્ણમાં વહેચાયેલાં છે. સ્વરૂ૫ મંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230276
Book TitleSwarup Mantra
Original Sutra AuthorN/A
AuthorPannalal J Gandhi
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy