SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતિકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી તેથી જ તેને પાપપ્રકૃત્તિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે નિદ્રા એ ઘાતિકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવનનો અંત આણવા સુધી જાય છે તો એને પાપ પ્રવૃત્તિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે કે નિદ્રા એ જડવત દશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદીય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નતી અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી માટે તેને પાપપ્રકૃત્તિ કહેલ છે. મંગલાણંચ સવ્વસિં પઢમં હવઈ મંગલ સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠિ પદોને કરવામાં આવતો નમસ્કાર છે. અહીં હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો ? પાપને ગાળે તે મંગલ એ મંગલ શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ મંગલ શબ્દના એવાં ઘણાં અર્થ થાય છે. જ્યાં આનંદ થા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય ત્યાં આનંદ અને સુખ અવશ્ય હોય જ. મંગલ થાઓ! એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટો ભેદ છે. હિત અને કલ્યાણ નિત્ય તત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણ નિરપેક્ષ સુખ અનિન્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામાં, સર્વ પાપને પ્રણાશ થાઓ! અને સર્વનું મંગલ થાઓ! એવી જે રચના છે તે જીવને પરમાર્થ તત્વની મહા-મૂલ્યવાન બક્ષિસરૂપ છે. આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક લોકોત્તર છે. અગાઉ જોઈ ગયાં તે મુજબ હ એ મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે માયા બીજ છે જ્યારે બુદ્ધિ શુદ્ધ કરે છે, જે મસ્તિકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાક્ષર પ્રણવબીજ છે. વળી આમાં પંચપરમેષ્ઠિનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે. સંસ્કૃત ભાષાના અક્ષર સંધિના નિયમ મુજબ અરિહન્તનો અ અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે, તેનો અ મળી અ+1= આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર આ ભળવાથી આ+=આ. એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર ઉમળવાથી આ + ઉ=ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર મ જોડાવાથી ઓ+મત્રઓમ શબ્દ બને છે. - હવે પ્રશ્ન એ થાય કે પાંચમાં સાધુ પદના સાધુ શબ્દનો સા અક્ષર ન લેતાં મુનિ શબ્દનો મ અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુમિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધાનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે. અને મૌન એ અબોલ તત્ત્વ છે. એટલે શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230276
Book TitleSwarup Mantra
Original Sutra AuthorN/A
AuthorPannalal J Gandhi
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy