SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જmewheredefended Male defense det erested frovidedthdhwans બાલદીક્ષાના વિરોધીઓ આ જરૂર વિચારે પૂર્વના પાપોદયને કારણે કેટલાક આત્માઓને સંસારમાં ખાવા માટે પણ ફાંફાં મારવાં પડતાં હોય છે. કુટુંબ પ્રતિકૂળ હોય, અનેકવિધ ઉપાધિઓ હોય, તો પણ તેને કઈ કહેઃ “અરે ભાઈ, આમ હેરાન થાય છે, તેના કરતાં દીક્ષા લઈ લે ને! આથી દુખે દૂર પણ થશે અને તારા આત્માનું કલ્યાણ પણ થશે.” આમ કહેવા છતાં તે માણસને દીક્ષા લેવાની રુચિ થતી નથી. તો દીક્ષા લેવાની, કઠણ વ્રતોથી જીવનને ઊજળું કરવાની વાત ક્યાં રહે? ત્યારે બાળકને બાલવયમાં સ્વેચ્છાએ પવિત્ર જીવન માટે મળતી વિરલ તકને ગુમાવવાનો ઉપદેશ કરનાર શ્રાવકે ન થવું જોઈએ. વળી માબાપે પણ પુત્રમેહમાં પડી બાળકનું કલ્યાણ રોકવું ન જોઈએ. ગામની કે કુટુંબની એક વ્યકિત થકી પણ ગામમાં કે કુટુંબમાં ધર્મભાવનાના સંરકારો ટકી રહેતા હોય એવું પણ ઘણે સ્થળે બને જ છે. દીક્ષા લેવાની ભાવના ક્યારે જાગે? જેમને આયુષ્ય કર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મોની સ્થિતિ ઘટીને અંતઃ કોડાકોડી (કોડને કોડ વડે ગુણતાં જે આવે તે ) ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સાગરોઅમથી ઊભી થાય, ત્યારે તેને જિનવચન પ્રત્યે આદર થાય. અંત કડાકડીમાં પણ બેથી નવ પોપમની ન્યૂનતા થાય, ત્યારે તેને શ્રાવકધર્મ પર રુચિ થાય. અને એ અંતઃ કડાકડી કાળમાં જ્યારે સંખ્યાતા સાગરેપમ સ્થિતિ ઓછી થાય, ત્યારે તેને સર્વવિરતિ ધર્મ ઉપર પ્રીતિ થાય છે. આ કર્મલઘુતાનું ભાગ્ય સર્વને સુલભ પણ નથી અને તેમાં આઠ વરસની વય વીત્યા પછી વયનો પણ પ્રશ્ન નથી. આયુષ્ય કોઈ વાર ક્રિોડ પૂર્વનું પણ હોય એવા વૃદ્ધો પણ દીક્ષા લે છે. ઋષભદેવ પ્રભુએ ૮૩ લાખ પૂર્વની ઉમ્મરે દીક્ષા લીધી હતી. ચારિત્ર મેહનીય કમને ક્ષપશમ થયો હોય, તે જ પુણ્યવંતને દીક્ષાની ભાવના થાય, પછી ભલે તે ૮ વર્ષને બટુક હોય કે ૬૦ વરસને બુઝર્ગ હોય, શ્રીમંત હોય કે દરિદ્ર હોય. શાસ્ત્રમાં વાત આવે છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવ અને સમ્રાટ શ્રેણિક રાજાને દીક્ષા પ્રત્યે સંપૂર્ણ આદરભાવ હોવા છતાં પોતાને ચારિત્ર મેહનીય ઉદય હોવાથી તેઓ દીક્ષા લઈ શક્યા નથી. ઉપર મુજબની સુવિશેષ કમલઘુતા થાય, ત્યારે જ સાધુ બની શકાય. આથી સાધુજીવન અને તેનાં ઉપકરણો ઘે-મુહપત્તિ–પાતરાં કાંઈ એમના એમ મળી જતાં નથી ! કેવું દુર્લભ છે સાધુજીવન માટે જ આ માનવભવમાં તેને મેળવવા યત્ન કરો. જેન દીક્ષા અને બાલદીક્ષા એ શાસ્ત્ર સંમત દિવ્ય માગે છે. જેમાગમ અને ચરિત્રગ્રંથમાં એનાં અનેક પ્રમાણે ઉપલબ્ધ થાય છે. જેમાંથી કેટલાંક આ પ્રમાણે છે : સાઉથ આ શ્રી આર્ય કયાગૌતમસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230258
Book TitleSanyam Kabahi mile yane
Original Sutra AuthorN/A
AuthorGunshishu
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy