SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની અને મન:પર્યવતાની મહત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નો તિથ્યા અને નમો સંઘર્સી એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ? શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ આમ, જીવન કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્રે આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં લખ્યું છે : જે સર ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન, કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. શિષ્યને પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે ? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નિશે. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છદ્મસ્થ છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી ગુરૂને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પસૂલા, ચંડાચાર્યના શિષ્ય વગેરેનાં દૃષ્ટાન્તો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે, જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે દેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.' આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય છે. વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદ્ગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્તભાનાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દ:ખનો પાર નથી અને દુઃખી, મૂંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર Jain Education International મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આશામાં હીને બહુ વિનય દર્શાવતા હોય છે. 'એક સત્પુરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન, તથા ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી છે - એવા ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસદ્દગુરુઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભતાળીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમક્તિની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને ‘ગુરુજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુ પડતો દંડ, શિષ્યની સેવા પાનો વધુ પડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિોને બધાંના દેખતાં ટોક્યા ઇત્યાદિ પ્રકારનું વર્તન ગુરુ ભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉગ્ર છે, ધર્મમાં શ્રદ્ધા દૃઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. આમ, જૈન દર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં માવ્યો છે. ધર્મક્લ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે ઃ मूलं धर्मदुमस्य सुपति नरपति श्रीलतामूलकन्दः । सौन्दर्याानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणाद्रिः समस्तानर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति किं न किं साधु धत्ते ? विनयः અર્થાત્ વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌન્દર્યનું આહ્વાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચુર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મંત્રિઓ, અનોનો મોટી રોહણાચલ (પર્વ છે. અને સમત અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે ? એક વિનયના ગુાથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાથે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતા ઉમાસ્વાતિ મહારાજ ‘પ્રશમરતિ'માં કહે છે : विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230234
Book TitleVinay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size952 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy