________________
જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય ને વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રુત (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો પતિધર્મ), પ્રવચન (એટલે સંધ) અને દર્શન (એટલે સતિ તથા સનિ એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ પાંચ પ્રકારે કરવાનો છે : (૧) ભક્તિય એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુજાપ્રશંસાથી અને (૫) અવગુણ ઢાંકવાથી તથા આશાતના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમતિ વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમતિના છે મોલની સાથમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે :
અરિત તે જિન વિચરતા
કર્મ બપી તુ સિદ્ધ;
ચૈઇ જિન પ્રતિમા કી
સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ
ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમકિત સાર.
ગતિ બાહ્ય પ્રતિપત્તિથી∞, થીમ બહુમાન કાતિ અચા ઢાંક્વાજી, આશાતનાની હાણ . પાંચ ભેદ એ દસ તણોજી
શ્રી ધીન્દ્રસૂર્તિ દીકારાતાબ્દિ સંધ
વિનય કરે અનુકૂળ,
સીંચે તેમ સુધારી”, ધર્મવૃક્ષનું મૂળ.
‘આવશ્યકચૂર્ણિ’માં નીચે પ્રમાણે વિનય તે પ્રકા૨નો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે ઃ
तित्ययसिद्धकुलगण धकियानागनागी । आयरियथेर ओझा-गणीणं तेरस पयाणि ॥
असासायणा य भती, बहुमाणे तह य बन्नसंजलणा । तित्थगराई तेरस चउग्गुणा होंति बावन्ना ॥
કરવા દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાો બતાવે છે : (૧) અરિષ્ઠત અથવા તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંપ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) શાન,
Jain Education International
(૯) શાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) વિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગરિ
આ તેરનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય.
આ તેનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનય ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બનાવવામાં આવ્યાં છે. એ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્રવિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવી, ગુપ્ત સમિતિ સહિત મારતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે.
જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઈક ગ્રંથીમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનને જુદો પણ બનાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે.
વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારનાં તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે !
पायच्छित्तं विणओ वेयावच्चं तहेब सज्झावो
झाणं उसग्गो वि अ अभितरो तबो होइ ।
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધાન અને બુ ને છ પ્રકારના અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે.
For Private & Personal Use Only
www.jainelibrary.org