SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં, બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના ોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલાં કરવાની આવશ્યક્તા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનથી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈનું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. વિનય હંમેશાં હ્રદયના ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. બાબાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા કે ચિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનથી માલસનો ખુશામતનો ખાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય સહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુષ્પ છે; એટલે એ શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણિત કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને પાચ્ય છે. Jain Education International જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમમાં ઉત્તરાધ્યયનસૂત્ર' અને 'દસર્વકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ 'વિનય’ વિશેનું છે. એની ૪૮ ગાળામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનવ્યવહાર સાચવવો જોઈએ તેની નાની નાની સ્થૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ.ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : आणानिद्देसकरे गुरुणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए ति बुच्चइ ॥ (જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરની શ્રુષા કરે છે તથા એમનાં કંગન અને આકારને સમજે છે તે વિનીત વિનયવાન કહેવાય છે.) नापुझे वारे किंपि मुझे या नालियं गए । कोहं असच्चं कुब्बेज्जा धारेज्जा विषमप्पियं ॥ વગર પૂછે કંઈ પણ બોલે નિહ, પૂછવામાં આવે તો અન્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને ધારણ કરે અર્થાત્ ત્યારે સમતા રાખે.) मेव पहल कुन पक्ष संजए । पाए पसारिए वापि न चि गुरुगंलिए ॥ (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબા-પહોળા કરીને ન બેસે.) आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो पुच्छज्जा पंजलीयडो ॥ २२ ॥ (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહિ, પરંતુ પાસે જઈને, ઊડ ભેંસીને, ડાધ જોડીને પૂછે.) स देव गंधब्ब मपुस्तपूए चतु देहं मतपंकपुचयं । सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्दिए ॥ ४८ ॥ (દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહર્દિક દેવ બને છે.) "દસવૈકાલિક' સૂત્રના નવમાં અધ્યનમાં વિનય સમાધિ નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ यंभा व कोहा व मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो फलं व कीयस्स वहाय होई ॥। ९२/१ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230234
Book TitleVinay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size952 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy