SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 44 242425* <h< db કરો >> 22 dada vadada A a[૧૮૧] જયસિંહરિ : કાંકણુ મધ્યે નાલાસોપારામાં દ્રોણુ નામનાં ઓશવાળ શ્રાવકની નેઢી નામની ભાર્યાની કુક્ષીએ સિંઘ નામના પુત્રને સં. ૧૧૭૯ માં જન્મ થયેા. સ. ૧૧૯૭ માં થરાદમાં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૨૦૨ માં મંદારમાં આચાર્ય પદ મળ્યું અને જયસિ હુસૂરિ નામ આપવામાં આવ્યું, સ. ૧૨૫૮ માં પ્રભાસપાટણમાં સ્વર્ગવાસી થયા. ( ૨૭૫ ) તેમની યાદશક્તિ અદ્ભુત હતી. એક જ વખત વાંચવાથી તેમને કંઠસ્થ થઈ શકતું. માત્ર ત્રણ વર્ષીમાં જ તેમણે ત્રણ કરોડ લેાક કઠસ્થ કરી લીધા. માત્ર પાંચ જ વર્ષમાં તેએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલકાર અને આગમાદિ શ્રુત સાગરના પારગામી થયા. તેએ પરિવાર સહિત એ દિવસને આંતરે વિહાર કરતા. પ્રાયઃ ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ તેઓ રહેતા. એ રીતે ઉગ્ર વિહારની સ્થિતિને પામ્યા હતા. (૨૯૭) શાલવીએ દિગંબર હતા. તેમના ગુરુ છત્રસેનને વાદવિવાદમાં જસિહુસૂરિએ કુમારપાળના દરબારમાં પાટણ મધ્યે હરાવ્યા, જેથી છત્રસેન તેમના શિષ્ય બન્યા અને શાલવીએ અચલગચ્છીય શ્રાવકો અન્યા. (૩૨૦) આરક્ષિતસૂરિએ અચલગચ્છ પ્રવર્તાવ્યા, પરંતુ તેને વ્યાપક અનાવનાર તે જયસિંહસૂરિ જ હતા. આ ગચ્છના પાયા જયસિહસૂરિએ એવા તે સુદઢ કરી દીધા કે શતાબ્દીએ વહી ગયા છતાં તે ટકી શકયે છે. આ ગચ્છને સંગઠિત કરીને તેમણે જૈન શાસનની ખરેખર મહાન સેવા બજાવી છે. જયસિ'હસૂરિએ જૈન ધર્મનાં દ્વાર બધી જ જ્ઞાતિએ માટે ખુલ્લાં મૂકી દીધાં. બધાંને સમાન અધિકાર આપી એક સૂત્રમાં બાંધવાના પ્રયત્નો કર્યા. તેમના પરિશ્રમને પરિણામે અસખ્ય લેકેએ જૈન ધર્મ સ્વીકાર્યાં. રાજાએ પણ જૈન ધર્માંનુયાયી થયા. તેમને ક્ષત્રી વિયોષઃ એવુ બિરુદ અપવામાં આવ્યું, જેથી જાણી શકાય છે કે, લાખા ક્ષત્રિયેાએ એમને ઉપદેશ સાંભળીને જૈન ધર્મ સ્વીકારેલા. ગાત્રો : પડાઇ, નાગડા, લાલન, દેઢિયા, ગાલા, કટારીઆ, પાલડીઆ, નીસર, છાજોડ, રાઠોડ, લાલાડિયા, મહુડિયા, સહસ્રગણા, ગાંધી વગેરે ગેાત્રોની તેમણે ( જયસિંહસૂરિએ ) સ્થાપના કરી હતી. (૩૭૫) સ. ૧૨૨૧ ની આસપાસ તેમણે કચ્છમાં વિહાર કર્યાં. આ પ્રદેશને વિહાર કરનાર અચલગચ્છના સૌ પ્રથમ આચાર્ય જયસિ'સૂરિ જ હતા. કેટલાંક વર્ષોં સુધી તેએ કચ્છમાં વિચર્યાં અને અનેકને ધમેધ પમાડવા, ( ૩૭૭) મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, સિધ આદિ પશ્ચિમ ભારતનાં નગર અને ગામેમાં અપ્રતિત વિચરીને જયસિ સૂરિએ અનેક ધર્મ કાર્યાં કર્યાં. આ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy