SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ જેણે જેણે આવડા મોટા સંઘની વાત સાંભળી હતી તે બધા જ તાજુબ થયા; તે પછી ગુર્જરેશ્વર કંઈ જુદી માટીના થોડા જ હતા ! તે પણ તાજુબ થયા. એમનેય થયું કે કેવી નવાઈની વાત છે કે અઢી લાખ માણસને આ સંઘ છે ! “આટલી મોટી જનમેદનીને અધિનાયક કોણ હશે ભલા” સારંગદેવે પોતાના પ્રધાનને પૂછ્યું. મહારાજઆવા વિશાળ સંઘના સંઘપતિ ઝાંઝણકુમાર છે. માલવ દેશના માંડવગઢ રાજ્યના મહામંત્રીશ્વર સ્વનામધન્ય પેથડકુમારના તેઓ ધમીજ પુત્ર છે. પેથડકુમાર તો એવા ધર્માત્મા હતા કે એમણે બત્રીસ વર્ષની ભરયુવાનીમાં બ્રહ્મચર્યવ્રત જેવું કઠોર વ્રત અંગીકાર કર્યું હતું! તેમણે ઓઢેલું વસ્ત્ર રોગીને પહેરાવતાં રોગ ચાલ્યા જાય એવી તો એમની ધાર્મિકતાની નામના હતી. તેઓ ખરેખરા ધાર્મિક શિરોમણિ અને પુણ્યવાન મહાપુરુષ હતા. આજના સંઘના સંઘપતિ ઝાંઝણકુમાર એમના પુત્ર છે અને તેઓ પણ ખૂબ ધમી છે.” - ગુર્જરેશ્વર આ પ્રશંસા વિસ્ફારિત નયને સાંભળી જ રહ્યા. તેમને થયું કે આ સંઘને તે નજરે નીરખવો જ જોઈએ. અને સંઘનાં દર્શન અને સ્વાગતની એમની ભાવના વધુ પ્રબળ બની. સંઘના આગમનના સમાચાર આવ્યા એટલે રાજા અને પ્રજા બધાં ખૂબ રાજી થયાં. સર્વત્ર આવા મેટા અભૂતપૂર્વ સંઘના સ્વાગતને ઉમંગ પ્રવર્તી રહ્યો. રાજા સારંગદેવે પિતાના મંત્રીશ્વરને બેલાવી સંઘપતિ તથા સંઘનું ગ્ય સન્માન કરવાની, નગરમાં તેમને પ્રવેશ-મહત્સવ કરાવવાની તથા રાજમહેલમાં તેમને લઈ આવવાની આજ્ઞા કરી. બીજા દિવસે જ્યારે એક પ્રહર લગભગ વીતી ગયા ત્યારે સંઘ કર્ણાવતીના પાદરે આવી પહોંચ્યા. નગરનાં તથા આસપાસનાં જિનચૈત્ય જુહારવા તથા શ્રમણ ભગવંતને વંદના કરવા માટે સંઘ અહીં ચાર દિવસ રોકાવાને હતો. નમતી સંધ્યાએ ગુર્જરેશ્વર સારંગદેવ સંઘપતિના તંબૂમાં આવ્યા. સંઘપતિની બેઠક એક રાજરાજેશ્વર જેવી હતી. અભુત અને તેજસ્વી એમનું લલાટ હતું. બહુમૂલ્ય અને ભાગ્યે જ જોવા મળે એવા અલંકારોથી તેઓ સુશોભિત હતા. અતિશય નાજુક દેહલતાવાળી અને આરસમાંથી કંડારેલી દેવાંગનાઓ સમી ચામરધારિણીઓ તેમને ચામર વીંઝી રહી હતી. છત્રધર જરાય હાલ્યાચાલ્યા વિના તેમને છત્ર ધરીને ઊભે હતો. શ્રેષ્ઠીઓ અને સામતે તેમના બંને પડખે દબદબાપૂર્વક બિરાજતા હતા. ગુર્જરેશ્વર પિતાને મળવા આવી રહ્યા છે એ સમાચાર સાંભળતાં જ સંઘપતિ ઝાંઝણકુમાર પિતે ઊઠીને ગુર્જરેશ્રવરનું સન્માન કરવા સામે ગયા. બંનેએ પરસ્પરનું અભિવાદન કર્યું. રાજવીએ સંઘપતિના તથા સંઘના કુશળ મંગલ પૂછયા. “અમારા પ્રદેશમાં આપને કશી તકલીફ તે નથી પડી ને?” એ પ્રશ્નના જવાબમાં સંઘપતિએ ગુર્જરેશ્વરની પ્રસન નજરને કારણભૂત ગણાવી. મીઠી પ્રેમભરી વાતે શરૂ થઈ અને સૌ આનંદવિભોર બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230217
Book TitleRajya vatsalya
Original Sutra AuthorN/A
AuthorSubodhchandra Nanalal Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy