SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ #*********>FFEE a[૨૯] અજિતનાથજી ભગવાનની પ્રતિમાજીના ઉપયાગ થતા. એ અરસામાં ક. ૪. એ. જ્ઞાતિના શ્રી મેઘજી ઉડીઆ પેાતે ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરતા હતા, છતાં પેાતાને માથે કરજ હાવાથી જીવનથી કટાળીને વાવમાં આત્મહત્યા કરવાના વિચારે ગયા. ત્યારે તેમને દેવવાણી સંભળાઈ : ‘ના, ના.’ ચાતરફ નજર કરતાં કાઇ દેખાયુ' નહિ, એટલે તેઓ સમજ્યા કે કોઈ દેવ મને આત્મહત્યા કરવા ખાખત ના પાડે છે. માટે મારે આજે આત્મઘાત ન કરવેા, એમ વિચારી તે ઘેર જઈ સૂઈ ગયા. તે જ રાતે તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમને સૂચવાયુ': આપઘાત કરીશ નહિ. હિમ્મત રાખજે, બધાં સારાં વાનાં થશે. સવારના ઊઠીને અમુક વેપારી પાસે જજે. તેની પાસેથી તને ૨૦૦ કારી મળશે. ૧૦૦ કારી લેણદારને આપી દઈ તારુ દેવુ' પતાવજે અને બાકીની સેા કારી લઇને ગાધરા ગામ જજે. તે ગામને ઉગમણે પાદરે તને હાલારના છીકારી ગામના દેવરાજ વિણક મળશે. તેમની સાથેનાં બળદ-પેાડિયા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાજી હશે. તે ૧૦૦ કારી લઈને તને આપશે. તે તું લઈ આવજે.’ આ રીતે સ્વપ્નમાં મળેલી અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શેઠશ્રી મેઘજી ઉડીઆ આનદભેર જાગ્યા. જાગીને ઈષ્ટદેવ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી સ્વપ્નમાં પેાતાને થયેલા સૂચન પ્રમાણે થયેલી આજ્ઞાને અનુસરીને તેએ ઉપરાકત પ્રતિમાજીને સુથરી મુકામે લઈ આવ્યા. છીકારી ગામમાં દેવરાજ વિણકને પણ એવા જ પ્રકારે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે આજ્ઞા ફરમાવી હતી. ગોધરા ગામના ઉગમણા પાદરના દરવાજે એ બન્ને મળ્યા. પરસ્પર સ્વપ્નોની વાત કરી. શ્રી દેવરાજે કોરી લીધી અને શ્રી મેઘજીભાઇ ઉડીઆએ પરમ કલ્યાણકંદ શ્રી પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમા લીધી. તે પ્રતિમાને સુથરી ગામમાં લાવી પેાતાને ઘેર રોટલા રાખવાના કોડલામાં તેમણે બિરાજમાન કરી. ત્યાર પછી વારે અને તહેવારે, અને અનેક શુભ પ્રસંગે લેાકો ગારજીના શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાને પૂજનાર્થે બિરાજમાન કરતા, તે જ મુજબ હવે સ્થાનિક જેનો શ્રી મેઘજી ઉડીઆની લાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરવા લાગ્યા. pappyJ પ્રતિમાજીના નામકરણ સ ́બંધે આવી એક અનુશ્રુતિ જણાય છે : ગામના મેાટા શેઠ મેઘણ શાહુને સમગ્ર જ્ઞાતિનો સમુદાય જમાડવાની એક વેળા ઇચ્છા થઇ. તેમણે કરેલ ઉજમણામાં ધાર્યા કરતાં વધારે માનવસમુદાય એકત્ર થયા. તેથી મેઘણુશા શેઠે શ્રાવકની શૈલી પ્રમાણે ઘીના હવાડામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230052
Book TitleKacchna Suprasisdha Panchtirthinia Mukhya Tirth Sutharino Sankshipta Parichya
Original Sutra AuthorN/A
Author
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size408 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy