SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર કેવા ઉપયોગપૂર્વક પાળવા તેનું કથન છે, જેથી દયામય અહિંસાધર્મ ઉત્તમ રીતે પળાય. હવે તેવો આચાર ધર્મ જે પોતે પાળે અને બીજા મુનિઓ પાસે પળાવે તેને ગણિ કહેતાં આચાર્ય કહયા છે અને તેમના આચાર પાળવાના નિયમો જેમાં રહેલા છે તેવી પેટીરૂપ દ્વાદશાંગીને ગણીને તેને ગણિપિટક કહયું છે, એટલેકે આચાર્યની આચાર પાળવાની ને પળાવવાની પેટી. - બારે અંગસૂત્રોના ભાવ અર્થ ગંભીર હોય છે. તેથી તેના ભાવ સ્પષ્ટ કરવા માટે દરેક અંગના ઉપાંગની રચના કરવામાં આવે છે. તેથી ઉપાંગ સૂત્રો પણ બાર છે, જેના ટુંક ભાવ નીચે છેઃબાર અંગ સૂત્રો :૧. આચારાંગ સૂત્રઃ- મુનિવરોના આચાર ધર્મનું નિરૂપણ. છે. ૨ સૂયગડાંગ સૂત્રઃ- એકાંતવાદી અન્યમતોનું યુક્તિપૂર્વક નિરસન કરીને જિનમતના અનેકાંતવાદની સ્થાપના કરી છે, તદુપરાંત જીવાજીવાદિ પદાર્થોનું તથા સંયમધર્મનું રૂડું નિરૂપણ કરેલ છે. ૩ ઠાણાંગ સૂત્રઃ- જીવાજીવાદિ પદાર્થો તથા નદી, સરોવર, પર્વતાદિનું એક થી દશ બોલમાં દશ અધ્યયનમાં સંકલન કર્યું વાચના દ્વારા ( શિષ્યોને) આપવામાં આવે છે તે ‘આગમ” છે. ટુંકમાં “આગમ” એટલે :- આ આખ પુરુષોએ કહેલી, ગ = ગણધર ભગવંતોએ ગુંથેલી, મ = મહર્ષિઓએ - મુનિવરો એ પ્રમાણેલી, એવી જે અનુપમ આત્મહિતકારી. વાણી. તે “આગમ” એમ શ્રી આવશ્યક નિયુક્તિ ગાથા-૧૯૨, તથા ધવલા ભાગ-૧ એ ૬૪ માં પૂર્વાચાર્યોએ નીચેની ગાથાથી કહયું છે : અત્યં ભાસઈ અરહા, સુરં ગન્જનિ ગણહરા નિર્ણિા સાણસ્સ હિયટ્ટાએ, તઓ સૂત્ત પવત્તઈ . અર્થ તીર્થકર ભગવંતો માત્ર અર્થ રૂપ વચન કહે છે અને તે સાંભળીને ગણધર ભગવંતો તેની સૂત્ર રૂપે ગુંથણી કરે છે, ત્યારબાદ મુનિવરો જિનશાસનના હિતાર્થે તે સૂત્રસિધ્ધાંત ને તીર્થંકર ભગવંતના શાસન દરમ્યાન પ્રવતવિ છે. તેથી જ જૈન આગમને સર્વજ્ઞ તીર્થંકર પ્રણીત કહયા છે. “તીર્થંકર પ્રણીત” નો મહિમા બતાવતાં શાસ્ત્રકાર કહે છે :- “તીર્થંકર ભગવંતને જન્મથી જ “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન” એ ત્રણ જ્ઞાન હોય છે, ત્યાર બાદ અવસરે સિધ્ધ પરમાત્માને વંદન નમસ્કાર કરી સ્વયં ભાગવતી દીક્ષા લઈ નિગ્રંથ મુનિ બને છે, ત્યારે ચોથું મનપર્યવ જ્ઞાન પ્રગટે છે. તેમ છતાં તેઓશ્રી ધર્મોપદેશ નથી કરતાં પણ સંયમ લઈને સર્વ પ્રથમ કાઉસગ્ન-ધ્યાનાદિ તપની સાધના કરીને મોહનીયાદિ ચારે ઘાતી કર્મોને ખપાવે છે અથતુ તે કર્મોનો નાશ કરીને “કેવળજ્ઞાન અને કેવળદર્શન” પ્રગટાવે છે, એટલે કે સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. ત્યાર પછી જ અર્થ પૂર્ણ વચનો ત્રિપદિ રૂપે - ઉત્પન્ન ઈ વા, વિગમે ઈ વા, ધુવે ઈ વા" અર્થાત્ ઉપજે છે, નાશ પામે છે, (છતાં) ત્રિકાળ ધ્રુવ અથાત્ ત્રણે કાળમાં ટકી રહેવાના સ્વભાવવાળા શાશ્વતા છે. ગણધર ભગવંતોને પોતાના શ્રીમુખે કહે છે. આવા અનન્ય અર્થ ગંભીર વચનો સાંભળતાં જ ગણધરો અંતરમાં અનુપમ અધ્યાત્મ શાઓની - જૈનાગમની અદ્દભૂત ગુંથણી કરે છે એટલે કે બાર અંગસૂત્રોની દરેક ગણધર રચના કરે છે. તીર્થકર ભગવંતના. શ્રીમુખે આ ત્રિપદિનું શ્રવણ કરીને અંગ સૂત્રોની રચના કરી હોવાથી. આને શ્રુતજ્ઞાન - સાંભળેલું જ્ઞાન કહેવાય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં દ્વાદશાંગીને નીચે પ્રમાણે શાશ્વતી કહી છે :- દ્વાદશાંગી.રૂપ ગણિપિટક ક્યારેય ન હતું એમ નથી, વર્તમાનમાં નથી એમ પણ નથી, ક્યારેય નહિ હોય એમ પણ નથી. તે પૂર્વે ભૂતકાળમાં હતું. વર્તમાનમાં છે, ને ભવિષ્યમાં હશે. તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે." ઉપરોકત સૂત્રમાં દ્વાદશાંગીને “ગણિપિટક" કહયું છે, તેનું કારણ એ છે કે દ્વાદશાંગીમાં મુખ્યત્વે મુનિઓના અહિંસા, સંયમ અને તારૂપી દયામય ધર્મના આચાર કેવા હોય અને તે સર્વ ૪ સમવાયાંગ સૂત્રઃ- ઠાણાંગ સૂત્રની જેમ એક થી માંડીને કરોડ ઉપરાંતના પદાર્થોનું સંકલન કરેલ છે. પ ભગવતીજી સૂત્રઃ- ગૌતમ સ્વામીએ પૂછેલ અને શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જવાબ આપેલ એવા ૩૬ હજાર પ્રશ્નોત્તર રૂપ અને દ્રવ્યાદિ ચારે અનુયોગમય છે. ૬ જ્ઞાતાધર્મકથાગ સૂત્રઃ- આમાં ધર્મકથારૂપે દ્રષ્ટાંતો આપીને સાધુના શ્રમણધર્મ, ચરણસત્તરી, કરણપીંડ વિશુધ્ધિ આદિની પ્રરૂપણા કરીને જિનાજ્ઞાનો આરાધક મોક્ષ સન્મુખ થાય છે. અને વિરોધક સંસાર ચક્રમાં ભમે છે તે બતાવ્યું છે. ૭ ઉપાસકદશાંગ સૂત્રઃ- ઉપાસક એટલે ધર્મની ઉપાસના કરનારા તે શ્રાવક. તેવી રૂડી ઉપાસના કરનાર આનંદા દશ. શ્રાવકોનું ચરિત્ર કથન કરી, શ્રાવકધર્મના બાર વ્રત, તેના અતિચાર, ૧૧ પડિમા, પોષધ, પ્રત્યાખ્યાન, સંલેખના સંથારાદિ તપધમ વગેરે ભાવ પ્રરૂપ્યા છે. ૮ અંતગડ દશાંગ સૂત્રઃ- અણગાર ધર્મ સ્વીકારી જે ભવ્ય જીવો આયુષ્યના અંત સમયે કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રગટાવી. ધર્મોપદેશ આપ્યા વગર નિવણ પામી. સિધ્ધ બુધ્ધ અને મુક્ત બને છે, તેવા શ્રી ગજસુકુમાર, અજનમાળી વગેરેના અધ્યયનો છે, ને વિવિધ તપનું વર્ણન છે. અનુત્તરોવવાઈ સૂત્રઃ- આયુષ્ય ઓછું હોવાથી જે મહાત્માઓ તદ્ભવે મોક્ષ નથી પામી શકતા, કે પુણ્યની અત્યંત વૃધ્ધિ થવાથી એકાવતારીપણું પામી અનુત્તર વિમાનોમાં દેવપણે ઉપજી, ત્યાંથી ચ્યવી નિયમાં મનુષ્યભવ પામી, સંયમ લઈ થી નાના અભિનદન સંથારાની ૮૯ કોઇ પરસ્પર મેં રે, પ્રીતિ પવિત્ત શ્રા નાશ | जयन्तसेन छोडे यदि, सद्गुण देत प्रकाश || www.jainelibrary org Jain Education Interational For Private & Personal Use Only
SR No.230023
Book TitleAgam Sahitya nu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy