SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ bhashabandhalala sabha chaosaach. [૪૪]] તથા ગભારામાં ચૈવીસ તીર્થંકરાની અંજનશલાકા (પ્રાણ પ્રતિષ્ઠા) કરાવી, એકસેા અડતાલીસ જિનબિંબની પ્રતિષ્ઠા ગાદીનશીન પૂ. આચાર્યં ભગવ તાની નિશ્રામાં મહામહેાત્સવપૂર્વક કરવામાં આવી. ઉપરાક્ત પ્રસંગે પ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણૈદયસાગરસૂરિજી આદિએ પણ પધારી પોતાની નિશ્રા આપી હતી. આ અગાઉ સ. ૨૦૩૪ના વૈ. સુ. ૬ ને ર્શનવારે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતાદિ સત્તર જિનબિ’ખાની પ્રતિષ્ઠા પહેલે માળે કરવામાં આવી. તે પ્રસંગે અચલગચ્છાધિપતિ યુગપ્રભાવક પુ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણુસાગરસૂરીશ્વરજી, શ્રી ગુણાદયસાગરસૂરીશ્વરજીએ નિશ્રા આપી પ્રભુજીને વાસક્ષેપ કરેલ હતા, એ જ શુભમ્ ભવતુ ! ૧૪૮. ભૂજ (કચ્છ)માં યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીનુ'ગુરુમદિર ‘થાબ' નામે પ્રસિદ્ધ છે. તેમાંના પ્રતિષ્ઠા લેખા ક્રમાંક ૧૦૨ અને ૯૯ (પૃ. ૪૨૩) પર અપાયેલા છે. આ લેખાના ભાવાં આ પ્રમાણે છે – વિક્રમ સંવત ૧૭૧૮ ના મહા સુદ ૬ બુધવારે શ્રી અચલગચ્છના નાયક ભટ્ટારક શ્રી અમરસાગરસૂરિજીના ઉપદેશથી શ્રી ભુજનગર નિવાસી અને દેવ-ગુરુ પ્રત્યે ભક્તિવાળા એવા શ્રી સ ંધે અંચલગચ્છના નાયક શ્રી પૂજ્ય શ્રી કલ્યાણુસાગરસૂરિજીનાં ચરણાની સ્થાપના કરી છે. (૧) – શ્રી વિધિપક્ષગચ્છના નાયક (૧) શ્રી આરક્ષિતસૂરિ, (૨) શ્રી જયસિંહસર, (૩) શ્રી ધર્મ ઘાષર, (૪) શ્રી મહેન્દ્રસિ’હરિ, (૫) શ્રી સિંહપ્રભસૂરિ, (૬) શ્રી અ॰તસિ ંહરિ, (૭) શ્રી દેવેન્દ્રસિંહસૂરિ, (૮) શ્રી ધર્મ પ્રભસૂરિ, (૯) શ્રી સિ ંહતિલકસૂરિ, (૧૦) શ્રી મહેન્દ્રપ્રભસૂરિ, (૧૧) શ્રી મેરુતુ ગરિ, (૧૨) શ્રી જયકીર્તિસૂરિ, (૧૩) શ્રી જયકૈસર સર, (૧૪) શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, (૧૫) શ્રી ભાવસાગરસૂરિ, (૧૬) શ્રી ગુણનિધાનસર, (૧૭) શ્રી ધર્મમૂર્તિ સૂર અને તેમની પાટે થયેલા શ્રી કલ્યાણસાગરસૂરિજીના આ સ્તૂપ શ્રી કચ્છ દેશમાં આવેલા ભૂજનગરમાં વસનારા સંધે કરાવ્યા છે. અને તેમાં, વિક્રમ સંવત ૧૭૨૧ ના વૈશાખ વદ ૫ અને ગુરુવારે લાલણુ ગેાત્રના રહીયા શેઠનાં પત્ની છવાએ ગુરુનાં ચરણાની સ્થાપના કરેલી છે. તે શ્રી સંધને કલ્યાણકારી થાઓ ! (૨) – વીર સંવત ૨૪૩૪, વિક્રમ સંવત ૧૯૬૪ના માગશર વદ ૫, મંગળવારે શ્રી કલ્યાણુસાગરસૂરિજી, તેમના શિષ્ય મહેપાધ્યાય રત્નસાગરજી, તેમના શિષ્ય મેધસાગરજી, તેમના શિષ્ય વૃદ્ધિસાગરજી, તેમના શિષ્ય હીરસાગરજી, તેમના શિષ્ય સહેજસાગરજી, તેમના શિષ્ય માનસાગરજી, તેમના શિષ્ય રંગસાગરજી, તેમના શિષ્ય નેમસાગરજી, તેમના ગુરુભાઈ તેસાગરજી, તેમના શિષ્ય દેવસાગરજી, તેમના શિષ્ય સરૂપસાગરજી અને તેમના શિષ્ય સ`વેગપક્ષીય શ્રી ગૌતમસાગરજી મહારાજના ઉપદેશથી શ્રી વિધિપક્ષગચ્છના સંધે (આ સ્તૂપને) ગૃધાર કરાવ્યા. તથા વિ. સં. ૧૯૭૩ ના મહા વદ ૮, ગુરુવારના અઠ્ઠાઈ મહેાત્સવ કરી, શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રતિમા શ્રી વિધિપક્ષના સંધે સ્થાપી છે. (૩) શ્રી આર્ય કલ્યાણૌતન્ન સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230020
Book TitleAnchalgacchna pratishtha Lekho
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages46
LanguageGujarati
ClassificationArticle & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy