SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ......: Ask Me . Asts. ..s: tet 1 sesses. Its stu.bbbbbbbbbbbbbbbbbbbb[૮૫] આ પ્રવૃત્તિ જોઈને તે ત્રણે વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન ભાવ ઘારાઓ થઈ. જેને સુવર્ણના ઘડાની જરૂર હતી, તે ઘડાને તૂટ જોઈ હેબતાઈને સંતપ્ત બની ગયો. જેને મુગટની જરૂર હતી તે સંતુષ્ટ થઈ હર્ષઘેલે બની ગયે. અને જે વ્યક્તિને માત્ર સેનાની જરૂર હતી, તેને ન શક છે કે ન પ્રદ. તે તટસ્થ ભાવથી જેતે રહ્યો! અહીં એ જ . પ્રશ્ન પ્રસ્તુત થાય છે કે, તે ત્રણે વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન ભાવ ધારાઓ કેમ પ્રગટી? જે વસ્તુ ઉત્પતિ, વિનાશ, અને સ્થિતિમુક્ત ન હોત તે તેઓને માનસમાં આવી પ્રકારની ધારણાઓ ક્યારેય ન ઊઠત ! ઘડાને ઈચ્છતી વ્યક્તિના મનમાં ઘડાના તૂટવાથી શેક થયે, મુકુટની અભિલાષાવાળાને પ્રમેટ થયે અને માત્ર સુવર્ણ ઈચછનારને શોક, પ્રદ, ઈર્ષ્યા કાંઈ જ ન થયાં ! કેમ કે, સુવર્ણ તે ઘડાને વિનાશ અને મુકુટની ઉત્પતિ ઉભય અવસ્થાઓમાં વિદ્યમાન છે. આથી તે મધ્યસ્થ (તટસ્થ ) ભાવમાં ઊભે રહ્યો. અલગ અલગ ભાવ ધારાઓના વેગનું મુખ્ય કારણ તો ઉત્પતિ, વિનાશ અને સ્થિતિ – આ ત્રણે ધર્મોનું હોવું છે, તે સ્પષ્ટ રીતે ઉપરોક્ત દષ્ટાંતથી સિદ્ધ જ છે. આ ત્રણે ધર્મોથી આ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે, વસ્તુનો જે અંશ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહે છે, તેને જૈન દર્શનની ભાષામાં “પર્યાય” કહેવામાં આવે છે. અને જે અંશ સ્થિર રહે છે, તેને ‘દ્રવ્ય કહેવાય છે. મુગટ અને કંગન બનાવવાવાળા ઉદાહરણમાં મુગટ અને કંગન “પર્યાય” છે અને સુવર્ણ દ્રવ્ય” છે. દ્રવ્યની દૃષ્ટિથી વિશ્વભરના બધા પદાર્થો નિત્ય છે, અને અનિત્ય પણું. કેમ કે, ઘડાને જે આકાર છે, તે વિનાશી છે, અનિત્ય છે, પરંતુ ઘડાની માટી અવિનાશી છે, નિત્ય છે. આકારરૂપમાં ઘડાનો નાશ થવા છતાં પણ માટીરૂપ તે વિદ્યમાન રહે જ છે. માટીના પર્યાય આકાર પરિવર્તન થતા રહે છે, પરંતુ માટીના પરમાણુ સર્વથા નષ્ટ નથી થતા. એ જ વાત વસ્તુના “સત્ ” અને “અસત્ ” ધર્મના સબંધમાં પણ છે. કેટલાક વિચારોનો મત છે કે, વસ્તુ સર્વથા સત્ છે. કેટલાકનું કહેવું છે કે, વસ્તુ સર્વથા અસત્ છે. પરંતુ જૈન દર્શનના મહાન ગીતાર્થ આચાર્ય ભગવંતોનું કહેવું છે કે, પ્રત્યેક પદાર્થ સત્ છે અને અસત્ પણ. બીજા શબ્દોમાં કહીએ, તે વસ્તુ છે અને નથી પણ. પિતાના સ્વરૂપની દષ્ટિથી વસ્તુ સત્ છે અને પરસ્વરૂપની દષ્ટિથી અસતું . પણ ઘડો પોતાના સ્વરૂપની અપેક્ષાથી સત્ છે, વિદ્યમાન છે, કિંતુ પરના સ્વરૂપની અપેક્ષાથી અસત્ છે, અવિદ્યમાન છે. બ્રાહ્મણ બ્રાહ્મણવની અપેક્ષાથી સત્ છે, પરંતુ ક્ષત્રિયત્વની અપેક્ષાથી અસતું છે. પ્રત્યેક પદાર્થનો અસ્તિત્વ પિતાની સીમાની અંદર છે, સીમાથી બહાર નહિ. જે પ્રત્યેક વસ્તુ સમગ્ર આર્યકcaunોતHસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230010
Book TitleAnekantwadno Sankshipta Parichay
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size682 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy