SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો લોકો પોતાને 25 માં તીર્થકર માની મન ફાવે તે ધાર્મિક વાતો સોશીયલ મીડિયા પર લખે છે તેના પર પ્રતિબંધ જરૂરી છે. (E) દરેક રાજધાની માં ચોમાસું ભારતભરના દરેક રાજ્યોની રાજધાનીમાં ચાતુર્માસ કરવા આપણા ગુરુભગવંતો પધારે તે જરૂરી છે. (F) ઓપન બુક એક્ઝામ:- આપણે ત્યાં ઓપન બુક એક્ઝામ નું કાર્ય ઓછુ થાય છે. તેથી સાહિત્યનો પ્રચાર લગભગ નહીંવત્ થાય છે. ખાસ તો હિન્દી સાહિત્ય માટે ઓપન બુક એક્ઝામ ની ખાસ જરૂરત છે. સ્થાનકવસીઓ માં આવું કાર્ય થતું હોય છે. (G) ભારતભરના જૈન સ્થાનોની નોંધણી - ભારતભરમાં જેટલા પણ જિનાલયો, ઉપાશ્રયો, આયંબીલશાળા, ધર્મશાળા, જૈન સ્કુલ, કોલેજો હોય તે બધાની વ્યવસ્થિત નોંધણી અતિ આવશ્યક છે. (H) જૈન કલેક્ટર - જૈન શાસનનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે તાલુકા લેવલે જૈન મામલતદાર તથા જિલ્લા લેવલે જૈન કલેક્ટર નીમવા જેવા છે..જેઓ સંપૂર્ણપણે શાસનના કાર્યોમાં વ્યસ્ત રહે. પ્રસ્તુત વિષયોમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
SR No.036511
Book TitleJain Shasanna Vicharniya Prashno
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherMission Jainatva Jagaran
Publication Year2019
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy