________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - આવા અલગ-અલગ ક્ષેત્રો પ્રમાણે ઘણા પૂજ્યો વિચરતા હોય છે. તેમના કારણે જ આપણે તે-તે ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ.આવા ક્ષેત્રોમાં જે-જે ગુરુ ભ. વિચરણ કરે છે તેમણે સતત પ્રોત્સાહન આપી ટકાવી રાખવામાં આવે. તેઓને જીર્ણોદ્ધાર –વેયાવચ્ચ માં સંપૂર્ણ સહયોગ કરવામાં આવે. તો તેઓ ઘણા કર્યો કરી શકે છે. આ અંગે ખાસ વિચારવું રહ્યું. હમણાં પલ્લિવાલ પ્રદેશમાં પૂ.પં. ધૈર્યસુંદર વિ. મ. વિચરણ કરી રહ્યા છે. ત્યાં ખુબ જ જાગૃતિ આવી રહી છે.